SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન. 3. પ્રસાર આધારિત વગીકરણ 4. ઉત્પત્તિપ્રદેશ આધારિત વગીકરણ 5. ઉત્પત્તિકાળ આધારિત વગીકરણ 6. અનુયાયી–સંખ્યા આધારિત વગીકરણ છે. ઈતિહાસકાળ આધારિત વગીકરણ 3. અવૈજ્ઞાનિક વગીકરણ: 1, સાચા-ખેટા અનુસારનું વગીકરણ: કેટલાક વિચારક ધર્મોનું વગીકરણ બે પ્રકારમાં કરે છે. એક પ્રકારમાં તેઓ સાચા ધર્મને અને બીજામાં ખોટા ધર્મોનો સમાવેશ કરે છે. પરંતુ અહીંયાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેઈપણ ધર્મ સાચો છે કે બેટો એને નિર્ણય શી રીતે થઈ શકે ? એવા સ્થાયી તાર્કિક આધારે પ્રાપ્ય છે ખરાં, જેને અનુલક્ષીને એકને સાચા તરીકે અને બીજાને બેટા તરીકે મૂલવી શકાય ? કોઈ એક નિશ્ચિત મુદ્દા પર એક ધર્મનું મંતવ્ય સાચું છે અને બીજાનું મંતવ્ય - ખેટું છે એમ સાપેક્ષ રીતે કહી શકાય ખરું; પરંતુ કોઈ એક કે વધારે ધર્મો કે ધમંજૂથને સાચા તરીકે અને બીજા સર્વને ખોટા તરીકે ઘટાવવામાં વ્યક્તિની અંગત માન્યતાઓ સિવાયને તાર્કિક રીતે વૈજ્ઞાનિક એ કોઈ આધાર પ્રાપ્ત થતો નથી. ધર્મના પ્રત્યેક અનુયાયીને પોતાનો ધર્મ સારો લાગે એ સહજ અને રવાભાવિક છે. જે વિવિધ દૃષ્ટિબિંદુઓ અનુસાર ધર્મનું તુલનાત્મક અધ્યયન હાથ ધરાય છે તેમાં પણ આપણે જોયું કે બીજાં, ત્રીજાં, અને ચેથા મંતવ્ય અનુસાર એક ધર્મ ધર્મ–જૂથ કે સ્વધર્મને સારા તરીકે સ્વીકારી અન્ય ધર્મોને બેટા તરીકે રજૂ કરવામાં આવે છે. આમ ધર્મોનું આ વર્ગીકરણ વ્યક્તિગત ગમા-અણગમા કે વ્યક્તિગત પૂર્વગ્રહ અને મંતવ્ય પર આધારિત છે, એથી ધર્મનું આ વર્ગીકરણ સ્વીકારી - શકાય નહિ. - 2, પ્રણેતા અનુસારનું વગીકરણ : - પ્રભુ અર્પેલ જ છે ! :' - માનવ અપેલ
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy