SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ધ્યાન-અષ્ટક 397 પ્રતિબિંબ ધ્યાનથી પડે તે સિદ્ધ-આત્માની પિતાના આત્મસ્વરૂપ સાથે એકતારૂપ સમાપત્તિ કહેવાય. કેવા અંતરાત્મામાં? કષાય અને વિકલ્પના મલથી રહિત નિર્મળ અંતરાત્મામાં. વળી કેવા? જેની પરાધીનતારૂપ વૃત્તિ ક્ષીણ થઈ છે એવા અંતરાત્મામાં. સમપત્તિમાં ધ્યાનની સિદ્ધિ થાય છે. અંતરાત્મામાં પરમાત્માને અભેદ–આપ તે ધ્યાનનું ફળ છે, તે સંસર્ગ-આરોપથી થાય છે. અહીં સંસર્ગ તે સંપૂર્ણ અનંત યથાર્થ સિદ્ધ આત્માઓને ઉપગ છે અને તે ચંચળ ચિત્તવાળાઓને ઇન્દ્રિયના દમન સિવાય બને નહીં. ઇદ્રિનું દમન જિન પ્રતિમા આદિ કારણ સિવાય થતું નથી. માટે સ્થાપના તત્વ પામવામાં ઉપકારકર્તા છે. 3 आपत्तिश्च ततः पुण्य-तीर्थकृत्कर्मबंधतः / तद्भावाभि-मुखत्वेन सम्पतिश्च क्रमाद्भवेत् // 4 // ભાષાર્થ –તે (સમાપત્તિ)થી પુણ્ય પ્રકૃતિરૂપ જે તીર્થંકર નામકર્મને બંધ થાય એટલે જિન-નામકર્મ તે ફળ (આપત્તિ) જાણવું અને તે તીર્થંકર પદનું ટુંકડાપણું થવાથી અનુક્રમે ફળ (સંપત્તિ) થાય. અનુવાદ : તેનું ફળ જિન-નામકર્મ, પુણ્ય પ્રકૃતિરૂપ, તેની સન્મુખતા થતાં, કમે પરમપદ ભૂપ. 4 જ્ઞાનમંજરી - જિનભક્તિ, તન્મયપણું પછી વિશ્વોપકારી સંઘના સ્થાપકરૂપ અતિશયવાળા તીર્થંકર નામકર્મની પુણ્ય પ્રકૃતિના બંધથી, તે ઉપગ વડે ક્રમે કરીને પરમ ઐશ્વર્ય (સંપત્તિ) પ્રાપ્ત થાય છે. આ નિર્દોષ ઉત્તમ ફળ દર્શાવ્યું. આ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy