SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ 18 અનાત્મશંસાષ્ટક 277. જ્ઞાનમંજરી -- તપાવેલા શ્રેષ્ઠ સેના સમાન આત્મસ્વરૂપને ગ્રહણ કરેલા નિગ્રંથ મહામુનિને સમ્યકજ્ઞાન ચારિત્ર ધ્યાન વડે પ્રગટ થયેલા શુદ્ધ આત્મ પર્યાને પણ અહંકાર કે મદ થતું નથી. કેમ નથી થતો? દરેક આત્માને શુદ્ધ નયથી ભાવતાં શુદ્ધ સ્વરૂપે સરખા છે તે મારામાં વિશેષ શું થયું ? જ્ઞાનાદિ ગુણે સર્વ આત્મામાં છે જ. સર્વની પાસે સાધારણ રૂપે હોય તેનું અભિમાન શું કરવું ? એવી ભાવનારૂપ અભિપ્રાયવાળે તે હોય છે. જ્ઞાન આદિ અનંત પર્યાયનું હોવાપણું સર્વ જીવોમાં સરખું છે તેથી સત્તાની અપેક્ષાએ સિદ્ધ અને સંસારી જીમાં ભેદ નથી. સંગરંગશાળામાં કહ્યું છે : नाणाइणंतगुणोववेयं अरूवमणहं च लोगपरिमाणं / कत्ताभोत्ता जीवं मन्नहु सिद्धाणतुल्लमिणं // ભાવાર્થ - જ્ઞાનાદિ અનંત ગુણે સહિત, અરૂપી, અવિનાશી, લેકપ્રમાણ પ્રદેશવાળે, કર્તા, ભક્તા આ જીવને સિદ્ધ સમાન માને. શ્રી પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ કહ્યું છે : નીવો પુનડિવો ન નરલ વદિય સમા” દ્રવ્યમાં રહેલી સમાનતા જેને છે એ જીવ ગુણરહિત નથી. તથા ઠાણુગમાં "g ગાથા” ઈત્યાદિ પાઠ હેવાથી સર્વ ઠેકાણે આત્માનું સરખાપણું છે, તે સગુણ (આત્મગુણ) પ્રગટે તેમાં અભિમાન શાનું કરવું ? ઇદ્રપણું આદિ ઔદાયિક અશુદ્ધ પર્યાયે તુચ્છ હેવાથી, દેષરૂપ હેવાથી ગુણની ઘાત કરનાર અને તત્ત્વજ્ઞાનમાં રમણતાની હાનિ કરનાર
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy