SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 15 વિવેક-અષ્ટક कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् / विभिन्त्रीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् // 1 // ભાષાર્થ - દૂધ-પાણીની પેઠે જ્ઞાનાવરણાદિ કર્મ લક્ષણ આદિ ભેદથી ભિન્ન કરે છે, તે વિવેકવંત કહેવાય. જીવ-જીવનું ભેદજ્ઞાન તે વિવેક અનુવાદ:-- પય–પાણી પેઠે સદા, કર્મ–જીવ સંગ; ભિન્ન કરે મુનિ હંસ સમ, વિવેકરૂપ પ્રગ. 1 જ્ઞાનમંજરી -- (ઉક્ત અષ્ટકમાં જણાવેલી) તે તત્વવિધા સ્વ–પરના ભેદ કરવારૂપ વિવેક વડે પ્રગટ થાય છે; તેથી વિવેકને અભ્યાસ કર્તવ્ય છે. હેય અને ઉપાદેયની પરીક્ષા કરવારૂપ વિવેચન તે વિવેક છે. નામ અને સ્થાપના રૂપ વિવેક સુગમ છે. દ્રવ્ય-વિવેક લૌકિકરૂપે ધન કમાવામાં, રાજનીતિમાં કે કુળનીતિમાં કુશળ હોય તેને હોય છે, પરંતુ લકત્તરરૂપે ધર્મ-નીતિમાં કુશળ હોય તેને હેય છે. ભાવ વિવેક બાહ્ય તે સ્વજન, ધન, અને શરીર ઉપરને રાગ દૂર કરવારૂપ છે અને અત્યંતર ભાવવિવેક જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને અશુદ્ધ ચેતનામાં ઉત્પન્ન થતા વિભાવ આદિ
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy