SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 176 જ્ઞાનમંજરી संयोजितकरैः के के प्रायते न स्पृहावहैः 1 / अमात्र-ज्ञानपात्रस्य निःस्पृहस्य तृणं जगत् // 2 // ભાષાર્થ - પૃહાવાળા લાલચુ પુરુષે હાથ જોડીને કોની કોની પાસે માગતા નથી? જે જે આપે એ દાતાર જણાય તેની પાસે યાચતા ફરે છે. અમાપ, અનંત જ્ઞાનને પાત્ર એવા નિસ્પૃહી સાધુને (મન) સર્વ જગત તરણ તુલ્ય છે. ગાથા–“તિરંથારનો મુનિવરો ભરામમોહો ! i gra6 કુત્તિ, શત્તો વવટ્ટી વિ ." અર્થ - તરણાંના સંથારા (પથારી) ઉપર બેઠેલા મહામુનિ રાગ, મદ, મેહને નાશ કરી જે મુક્તિ સુખ (નિર્લોભતા, નિસ્પૃહતાથી ઊપજતું આત્મિક સુખ) પામે છે તે સુખ ચક્રવર્તી પણ ક્યાંથી પામે? અનુવાદ :- સ્પૃહાધીન યાચે, અરે! કર જોડી ક્યાં ક્યાંય નિસ્પૃહીને તૃણ તુલ્ય જગ, પૂર્ણજ્ઞાન બીજ જ્યાંય. 2 જ્ઞાનમંજરી - પરિગ્રહના ભારથી પીડાતા કંઈ કંઈ પુરુષ પાસે ગરજમાં ગરકાવ થયેલા આશાતુર માણસો હાથ જોડીને માગ્યા કરે છે કે નહીં? વિષયેની આશાવાળા લેલુપી છે અનેક રાજા આદિની સેવા કરવામાં ઉદ્યમવંતા બને છે. અમાપ જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહી સાધુને જગત તરણ તુલ્ય લાગે છે, પરભાવની ઈચ્છા જેની છૂટી ગઈ તેવા નિગ્રંથ મુનિને જગત નિસાર, તૃતુલ્ય કે આત્મારૂપ માનવામાં આવે છે.
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy