SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ જઈ તને કરી વિકસતી ક્ષિતિજો 167 સમાધાન કરવાનું સામર્થ્ય ન હોય તે સ્વાભાવિક છે. પણ જીવ આવે એકરાર પિતે પિતામાં પણ કરી શકતું નથી. એટલે પ્રશ્ન પૂછનારને ગમે તેમ ગોટાળા વાળીને પણ સમજાવી દઈ એ. પણ એમ ન કહીએ કે આ વિષયની મને ખબર નથી. આ જ છે સરળતાને અભાવ. જ્યાં સરળતા છે, નિરાભિમાનિતા છે એ તે કહેશે કે બધું જ અમને આવડે એવું જરૂરી નથી. તમારા પ્રશ્નને જવાબ આપી શકું તેમ નથી. છદ્મસ્થ જીવ સંપૂર્ણ જ્ઞાની હેય જ નહીં અને હેય તે તે છત્મસ્થ નહીં પણ કેવળજ્ઞાની. - મરિચિના અંતરને અહં મજબૂત થઈ બહાર આવ્યો અને કપિલના તર્ક સામે ઉસૂત્ર પ્રરૂપણ કરી દીધી. એણે કહ્યું : 'कपिला ! इत्थंपि इहयंपि' “કપિલ! ત્યાં પણ ધર્મ છે. અને અહીં પણ ધર્મ છે.” ખલાસ! આટલું કહેતાં તે મરિચિનાં આત્મામાં જલતે સમ્યગદર્શનને દીપ બુઝાઈ ગયે. અંતરમાં અંધકાર વ્યાપી ગયે. કારણ બહુ મોટું પાપ કર્યું. અધ્યાત્મયેગી આનંદઘનજી મહારાજ વીશીમાં કહે છે.” પાપ નહીં કેઈ ઉત્સવ ભાષણ જિ. જગતમાં અનેક પાપ છે પણ સર્વજ્ઞ કથિત તત્ત્વથી વિપરીત તત્વની પ્રરૂપણું કરવા જેવું અન્ય કઈ પાપ નથી. આ પ્રરૂપણ જિનેશ્વરની તથા જિનેશ્વરની વાણની આશાતના તે કરાવે જ છે પણ ભેળા જન-સમુંદાયને કુ-માગે લઇ જાય છે. હજારો-લાખ માણસોને અવળો રાહ ચીંધવાનું મહાન પાપ આમાં છે. મરિચિએ એ જ કર્યું. પરિણામે કપિલને પિતાને શિષ્ય બનાવ્યું. એણે નવીન મતની સ્થાપના કરી. અનેકેને દેરવ્યા. આજે ભારતમાં સાંખ્ય દર્શન છે તેના સંસ્થાપક તે જ મરિચિના શિષ્ય કપિલ. જે દર્શન મિથ્યા-દર્શન છે. - મરિચિનાં અંતરમાં જલતી શ્રદ્ધાની ત આ પ્રસંગે બુઝાઈ ગઈ. અત્યાર સુધી ચારિત્રથી પતિત હતો પણ દર્શન એટલે કે શ્રદ્ધાથી પતિત થયું ન હતું. ચારિત્રથી જેનું પતન થયું હોય તેને ઉત્થાન
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy