SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 123 બાકી કહીયે બ્રાંત ન થઈ જાય ! પારકું ધન લેવાની તૃષ્ણા ન જાગે માટે તેણે સોનામહેર પર ધૂળ વાળી દીધી. એટલામાં તેની પત્ની ત્યાં આવી પહોંચી. પૂછે છે. “શું કરો છો? એ આવી અને જોઈ લીધું તેથી હવે જે છે તે કહી દેવું પડે. તેથી કહે છે કેઇની સેનામહેર ભરેલી કેથળી પડી ગઈ છે. મારું મન તે ન લેભાયું પણ કદાચ તારૂં મન તેમાં જાય તેએટલે તેના પર ધૂળ વાળી રહ્યો છું. પત્નીએ બહુ જ માર્મિક જવાબ આપે. એ કહે : તમને તે એ સેનું દેખાતું હશે પણ મને તે ધૂળ જ દેખાય છે ! ધૂળ પર ધૂળ શું વાળવી ?" બંધુઓ ! આ છે દષ્ટિને ભેદ. જેના અંતરમાં સંતેષ પડ્યો છે, પ્રામાણિકતા પડી છે તેને પરધન પત્થર જ દેખાય. બનારસીદાસજી પણ એ જ કહે છે કે આવા જીવને સુવર્ણ કાદવ-કીચડ જેવું દેખાય છે. ઉક્તિ છે. “રાજેશ્વરી સે નષ્કવરી” રાજાને રાજનીતિ સાથે કૂટનીતિને આશ્રય લેવો પડે, કંઈક પ્રપંચ અને મહારંભ-મહાપરિગ્રહ સેવવા પડે. તેથી પ્રાયઃ કરીને તે નરકનો જ અધિકારી બને. નરક જેવી નીચતા કઈ? તેથી રાજપદને મહાનપદ નહી પણ નીચપદ માને. રાગ–મહ વિના મિત્રતા થાય નહીં. મેહ છે ત્યાં ફરી ફરીને જન્મ મરણ છે માટે મિત્રતા મૃત્યુ સમાન માને. લેકે મેટાઈ આપે છે, તે લેકે જ કાલે લાત મારી કયાં ફેંકી દેશે તેની ખબર નહીં પડે. આજે જે પ્રશંસા કરે છે તે કાલે નિન્દા કરવા માંડશે. માટે મોટાઈ તે ગારાના લીંપણ જેવી છે. યોગાદિ ક્રિયાઓ જે કર્મબંધનનું કારણ છે તેને ઝેર સમાન માને છે અને મંત્ર-તંત્રાદિની કરામતે, જે લોકેને ભ્રમજાળમાં ફસાવનાર છે, તેને દુઃખ સમાન માને છે. લોકિક ઉન્નતિ અને માન-પ્રતિષ્ઠા પામવાની ભાવનાને અનર્થ સમાન માને છે. પુદ્ગલના પૂતળા સમ આ દેહને મશાનની રાખ સમાન માને
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy