SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 122 હું આત્મા છું જેના અંતરમાં ખરેખર જ્ઞાનદશા પ્રગટ થઈ હોય તેની દષ્ટિ બદલાઈ જાય. દષ્ટિ બદલાતાં તેની સૃષ્ટિ બદલાઈ જાય. અજ્ઞાની જીવને સંસારના પદાર્થોમાં જે માહર્તા દેખાતી હોય, પુદ્ગલે આકર્ષણ કરતાં હોય તે જ્ઞાની જીવને ન હોય. પદાર્થ પ્રત્યેની તેની ભાવના જ બદલાઈ જાય. તેથી સર્વ સામાન્ય માનવી પદાર્થની વ્યાખ્યા અને જ્ઞાનીની વ્યાખ્યામાં કવિવર બનારસીદાસ, આવા જ્ઞાની-ઉત્તમ પુરુષની દૃષ્ટિ કેવી હોય તે બતાવતાં, નાટક સમયસારમાં કહે છે -. કચસૌ કનક જાકે નીચસી નરેસ પદ, મીચસી મિતાઈ ગુસવાઈ જાકે ગારસી જહરસી જેગ-જાતિ કહરસી કરામાતિ જાલસૌ જગ-વિલાસ ભાલસૌ ભુવન વાસ કાલસી કુટુંબ કાજ લોક લાજ લારસી સીડસૌ સુજનું જાનૈ બીકસી વખત માને એસી જાકી રીતિ તાહિં વંદત બનારસી.... .. જે પુરુષ સુવર્ણને કચડ-કાદવ સમાન માને છે, સુવર્ણ અને ધૂળમાં તત્વતઃ કેઈ અંતર નથી. બને પુદ્ગલ પરમાણુનાં પિંડ. વાસ્તવિક્તા એ જ છે. આ દષ્ટિ તે કેટલાક સામાન્ય મનુષ્યમાં પણ જોવા મળે. એક ગરીબ પતિ-પત્ની. મજૂરી કરી માંડ-માંડ પેટ ભરે. એક વાર પાર્વતીના કહેવાથી શિવજીએ એ દંપતિને સુવર્ણ આપવા વિચાર્યું. બન્ને મજૂરી કરવા જતાં હતાં ત્યાં રસ્તામાં સેનામહોરથી ભરેલી કેથળી મૂકી દીધી. આગળ પતિ ચાલ્યા જાય છે. પત્ની થોડે દૂર ચાલી આવે છે. એટલામાં પતિની ઠેસ વાગવાથી પિલી કેથળી ફાટી ગઈ. અંદરથી સોનામહેર બહાર નીકળી. જોયું તે સેનામાહેર છે. પેલે ભાઈ વિચારે છે કોઈની મનમાં એમ થયું કે પાછળ મારી પત્ની ચાલી આવે છે. કદાચ એને જીવ લેભાઈ જાય. કારણ કારમી ગરીબીમાં જીવી રહ્યાં છે. આ અનર્થ
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy