SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ 250 હું આત્મા છું આમ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીય બનેને ક્ષય કરવા માટે બોધિબીજ તથા વીતરાગતા એ અચૂક ઉપાય છે. અહીં કૃપાળુ ગુરુદેવે મેહનીયનાં વિકારને દૂર કરવા “અચૂક ઉપાય બતાવ્યો છે, જેને આચરવાથી વિકાર દૂર થાય જ. તેમાં શંકા નહીં. અહીં Experiment નથી. કે આ ઉપાય કરી જે. ફાયદો થાય તે ભલે નહીં તે આવજે મારી પાસે, બીજો ઉપાય બતાવશ. બધુઓ ! આજના ડોકટરે તમારા શરીર પર experiment કરતાં હોય છે ને? ત્રણ દિવસની દવા લઈ જાવ. સારું થઈ જશે. ન થાય તે બીજી દવા. અને એમ જ થાય ફરી જાવ ત્યારે દવા બદલીને આપે એમ ત્રણવાર દવા બદલે લાગુ ન પડે અને શરીર દરદથી ઘેરાઈ જાય ને પછી મૃત્યુની નોબત આવે. પણ અહીં ગુરુદેવ એમ ન કહેતાં તેઓએ તે સચોટ ઉપાય બતાવે છે. જેવું ભયંકર દર્દ છે એવી જ પાવરફુલ દવા છે. દર્દીને ભાગવું જ પડે. ચાલે જ નહીં. એમાં કોઈ ફરક નહીં. વળી આ ઉપાય તે એ છે કે એકવાર વીતરાગતા પ્રગટ થઈ તે ફરી કદી રાગાદિની બિમારી શરીરમાં પ્રવેશ પામી શકે જ નહીં. તે ખાત્રીપૂર્વક જ ઉપાય છે. જે કારણથી બંધ, તેનાથી વિપરીત કારણે મુક્તિ. રાગ એ કર્મબંધને અચૂક ઉપાય છે. તેથી જ વીતરાગતા એ મુક્તિને અચૂક ઉપાય છે. આજ વિષયને વધુ સ્પષ્ટ કરવા ગુરુદેવ રેજનાં જીવન કમમાં અનુભવમાં આવતાં ભાવેને રજુ કરે છે–જે અવસરે.
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy