SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 158 હું આત્મા છું જેમ કર્મ કરવામાં ચેતન આત્માએ ભાગ ભજવ્યું, તે જ જડ પરમાણુઓ કમરૂપ પરિણમ્યા તેમ કર્મોનાં ઉદય વખતે પણ આત્મા હાજર છે, આત્મા સાથે લાગેલા કર્મો જ ઉદયરૂપ પરિણમ્યા છે, અન્ય નહીં. તેથી તે કર્મો પણ ફળ આપવા સમર્થ થાય છે. જડ પદાર્થ પિતે કંઈ ન કરી શકે પણ, માનવ કે પશુ-પક્ષી વગેરે કઈ જીવ જડને પ્રવર્તાવે તે જડમાં ઘણું સામર્થ્ય છે. જે આજના વૈજ્ઞાનિક યુગમાં સમજવું જરાય મુશ્કેલ નથી. પુદગલનો અંતિમ ભાગ પરમાણુ, પિતે એકલે શું કરી શકે ? તેનામાં અખૂટ શકિત હોવા પછી પણ જડ હવાનાં કારણે તે કંઈ કરી શકતો નથી પણ એ જ અણુની શક્તિ માપીને તેને પ્રવેગાત્મક ધોરણે ઉપયોગમાં લીધી તે એ વિશ્વનો વિનાશ કરી શકે તેવી ધ્વસાત્મક શક્તિ તેનામાં પિદા થઈ અને ભલ-ભલી બિમારીને દૂર કરી શકે તેવી સર્જનાત્મક શકિત પણ વિકસિત થઈ એ સિવાય પણ અનેક રીતે જડ-શક્તિઓને નાથવામાં આવી છે અને તે માનવ પ્રાણીઓનાં ઉપયોગમાં આવે છે. તેથી જ ગુરુદેવ કહે છે કે પદાર્થ પિતે ન જાણતો હોવા પછી પણ તેનામાં રહેલ શકિતની અસર થાય છે તેમ શુભા-શુભ કર્મ પણ જીવને ફળ આપવા શકિતમાન છે. આત્મા પર રહેલ કર્મ તેની સ્થિતિ પાકતાં ફળ આપે છે. અને ફળ આપી પોતાની જાતે જ આત્માથી અલગ થઈ જાય છે. આમ જીવ કર્મને કર્તા છે તે તે ભકતા પણ છે. આત્માનાં ક્ષેતૃત્વ ને સિદ્ધ કરતાં અન્ય તર્કો અવસરે.
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy