SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ વતે આજ્ઞા ધાર 297 દેઢ શ્રદ્ધા વતે. તેથી સર્વ વિષયોની આસક્તિ છૂટી જાય. માત્ર આત્મભાવની રમણતામાં જ રમે. આનંદઘનજીએ કહ્યું : | મુનિગણ આતમરામી રે મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિષ્કામી શ્રી શ્રેયાંસજિન ચોથા ગુણસ્થાનથી વધતી વિકાસ દશામાં આગળ વધતો મુનિ છો. સાતમ-આઠમેથી બારમે સુધી, જ્યાં જ્યાં સ્થિત હોય ત્યાં આત્મ-રમણતા સિવાય અન્ય દશા ન હોય અને તે આત્મ-રમણતાની ગંભીરતા અને સ્થિરતા વધતી ચાલે, જે કેવળજ્ઞાન સુધીની દશા સુધી પહોંચાડે. કેવળજ્ઞાન થયા પહેલાંની આત્માની જેટલી અવસ્થાએ એ બધી જ અંતરાત્મ-ભાવની. ચોથા ગુણસ્થાનથી લઈ બારમા ગુણસ્થાનમાં વર્તતા, નિષ્કામી, ભેદ-વિજ્ઞાની મહાત્માએ બધા આત્મભાવમાં જ મગ્ન હેય. આત્માને જ્ઞાતા-દષ્ટ ભાવ કે જે આખાયે જગતને માત્ર સાક્ષી ભાવે જાણે, જુએ છે, તે પળ-પળની પ્રવૃત્તિમાં પ્રાદુર્ભત થઈ ચૂક્યો હોય. આ અંતર-આત્મદશા એટલે જ મુનિપણું. અને ત્રીજી દશા તે પરમાત્મ દશા કેવી હોય તે દશા? આનંદઘનજી મહારાજના જ શબ્દોમાંજ્ઞાનાનંદે હે પૂરણ પાવને વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણગણમણિ આગ એમ પરમાતમ સાધ, સુજ્ઞાની સુમતિ જેઓ નિત્ય અનંતજ્ઞાનના આનંદની અવિરત અનુભવ દશામાં ગૂલી રહ્યા છે. સંસારના સર્વ આનંદો અંતરથી વિરમી ગયા છે. આત્માની સર્વ વિશુદ્ધ દશા, અત્યંત-અત્યંત નિર્મળતાને ભજે છે. આખો યે સંસાર અને સાથે આ દેહ, એ સર્વ ઉપાધિ છે. આવી ઉપાધિઓ જેને સહજ રૂપે છૂટી ગઈ છે. દેહ હેવા પછી પણ છે કે નહીં એની જેને જાણ નથી. વળી અતીન્દ્રિય સુખની અનુભૂતિ અને ઈદ્રિયાતીત દશાના કારણે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy