SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 281 પામે નહીં પરમાર્થને માનતે હોય. અંદરમાં તે એટલું માન પડ્યું હોય કે ડગલે ને પગલે એ પિતાનું માથું ઊંચું કર્યા જ કરે, અને છતાં આપણે જગતને એમ મના. વતા હોઈએ કે મને જરા પણ માન નથી. ઉપરથી વિનમ્ર દેખાવાને પ્રયત્ન કરતા માનવ અંદરથી હાડોહાડ અહંથી ભર્યો હોય. અરે! માણસ પોતાને ધ વ્યક્ત કરી દેતું હોય છે. એ સહુને કહેતે હોય કે મને બહુ ગુસ્સે ! કોઈ આવે પછી હું કેઈને નહીં તેના કેધને કઈ જાણી જાય તેની તેને બહુ પરવાહ નથી હોતી, પણ અહમને તે છૂપાવતે જ ફરે. કોઈ જાણી ન જાય તેના માટે બહુ સાવધાન, અને એટલે જ સહુને દાસાનુદાસ હોય એવું ખોટું પ્રદર્શન પણ કરે, પરંતુ અંદરમાં તે “હું કંઇક છું એ વાત કદી ભૂલાતી ન હોય. બંધુઓ ! આ અહમ્ જ જીવને ભટકાવનાર છે. જીવનના સામાન્ય વ્યવહારમાં તે અહમ કરતા જ હોઈએ પણ ધર્મના ક્ષેત્રે કાંઈ પણ કરતાં શીખ્યા, તેનું અભિમાન નિશદિન કરતા ફરીએ છીએ. સહુને બતાવતા ફરીએ અને માનનું પોષણ કરતા રહીએ છીએ. આવા જ પરમાર્થને પામવાના અધિકારી નથી હોતા. વળી અહંકારી જીવની એક વિશેષતા એ હોય છે કે બીજાઓ સાથે એ પિતાની તુલના કરતે જ રહે. બીજાથી પિતે કંઇક ઊંચે છે એ માનવા, મનાવવાને, પ્રયાસ કર્યા જ કરે. ફ્રાન્સમાં ત્રણ દરજી હતા. ત્રણેયની દુકાન પેરીસની એક જ ગલીમાં. હંમેશાં ત્રણેય વચ્ચે સ્પર્ધા ચાલે. તેમાં ક્યારેક એક ફાવે તે, ક્યારેક બીજે તે ક્યારેક ત્રીજે. હરિફાઈમાટે શું-શું કરવું તેના વિચારે હંમેશાં ત્રણેયના મગજમાં ચાલ્યા જ કરે. એક વાર એક દરજીને એક તુકે સુઝ અને તેણે બીજે દિવસે સવારે પોતાની દુકાન પર બર્ડ લટકાવી દીધું. “કાન્સને સર્વશ્રેષ્ઠ દરજી'. બીજા બે દરજીઓ સમય થતાં દુકાને આવ્યા. બેર્ડ જોયું અને પિટમાં તેલ રેડાયું. અરે! આ સર્વશ્રેષ્ઠ થઈને બેસી ગયો ? આમાં આપણે છે કેમ ચાલે ? અને બીજાએ બીજા દિવસે યુક્તિ શોધી કાઢી. તેણે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy