SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ 274 હું આત્મા છું માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે માત્ર શબ્દોમાં નિશ્ચય નયને સમજે છે , તેને હાર્દને પામી શક્યો નથી તે જીવ સદ્વ્યવહાર રૂપ ધર્મ કરણને છોડી દે છે. લેપે સદ્વ્યવહારને સાધન રહિત થાય. અને સિદ્ધિને પામવાનાં જે સાધન છે, તે સાધનોને નહીં સમજવાને કારણે સાધન વિહેણે થઈ ભ્રમમાં ભટકે છે. માફ કરજો બંધુઓ ! પણ કેટલાક લોકે, જે નિશ્ચય નયના અભ્યાસી પિતાને કહેવડાવે છે, તેઓ જ્ઞાનીના મર્મને સમજ્યા નથી. તેઓની વાણ કેટલી અસંસ્કારી હોય છે! જેઓ સામાયિક કરતા હોય તેને કહે સામયિક તે શુભ આશ્રવ છે. છેડવા જેવું છે. “ધૂળ પડી તમારી સામા યિકમાં !" આવા શબ્દો જેના મુખમાંથી નીકળતા હોય તેને ધમી કહે કે અધમી ? સમજુ કહે કે નાસમજ? પહેલી વાત તે એ છે કે આવી અસભ્ય વાણી નીકળે જ નહીં. પિતે શ્રેષ્ઠ અને બીજા હલકા એવું એના મનમાં કદી આવે નહિ. અને બીજું સામાયિક જેવા ઉત્કૃષ્ટ સાધનની આવી અશાતના કરે નહીં. આ તે “અધૂરો ઘડે છલકાય એ ન્યાયે સમયે ન હોય કાંઈ અને પિતે બહુ સમજુ છે એમ બતાવવા જતાં, પિતાના અંતરગ ભાવોનું પ્રદર્શન થઈ જાય. સામાયિકમાં ધૂળ પડે શી રીતે ? સામાયિક કરનાર બહુ વિચારીને ન કરતો હોય તે કકાચ એ સંવર રૂપે ન પરિણમે પણ એટલીવાર હું પાપ વ્યાપારથી તે અટકી ગયોને ? સામાયિક ન કરતાં તે કંઈક 1 આરંભ સમારંભનાં કાર્યો કરતા તે તુલનાત્મક દ્રષ્ટિ એ તો સારું જ કર્યું ને ? અનુષ્ઠાને સમજીને આચરવાં જોઈએ. વગર સમજ્ય કર્યું જાય અને તેમાં જ સંતોષ માની લે તો તેમાં નિર્જરા રૂપ ફળ મળે નહીં. આત્મા કર્મભારથી હળવે થાય નહીં. સામાયિક કરું તો સમતા જાગવી જ જોઈએ સમતા ન સધાતી હોય તે તેને ખેદ વતે! કે આટલી સામાયિકો થી
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy