SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ 2 61 લહયું સ્વરૂપ ના વૃત્તિનું લહયું સ્વરૂપ ના વૃત્તિનું, ગ્રહયું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાથને, લેવા લૌકિક માન 28. - કેટલા સુંદર ભાવે ભર્યા છે આ ગાથામાં ! પિતે પિતાને જ ન શક્યો ! શક્યો ! પિતાને કેણુ વિકૃત કરી રહ્યું છે એ ન જાણી શક્યો ગઈ કાલે પણ આપણે આ ગાથાનું વિવેચન કર્યું હતું. અંતરમાં પડેલી વૈભાવિક વૃત્તિનું લક્ષ્ય કર્યા વિના, માત્ર અભિમાનને પિષવા માટે તો ધારણ કરી લીધાં, પણ વળ્યું નહીં કાંઈ! વિભાવને તેડવામાં વ્રતો બહુ સમર્થ છે, વ્રતમાં શક્તિ છે. પણ આપણે વ્રતને પાંગળા બનાવી દીધાં. વ્રતનું પાલન કેવી રીતે થવું જોઈએ તે વિસરી ગયા. સંતો પાસે જઈ સાધુ કે શ્રાવકનાં વ્રતનાં પ્રત્યાખ્યાન લઈ લીધાં એટલા માત્રથી વ્રત થઈ જતાં નથી. વ્રત એ તો અંતર પરિણતિ છે, અને પ્રત્યાખ્યાન તેની વાડ છે. ખેતરની ચારે બાજુ વાડ હોય છે, શા માટે? પાકના રક્ષણ માટે ! કઈ પશુ આવી પાકને નુકશાન ન પહોંચાડે, વાડથી પશુને આવતાં અટકાવાય. પણ આકાશમાં ઉડતાં પંખી પાકેલા ખેતરને જુએ એટલે તેઓનું મન લલચાય અને ટેળાબંધ ખેતરમાં ઉતરી પડે. તેને કેમ રેકાય ? ખેડૂતો તેના માટે ખેતરમાં ચાડિયો ઉભું કરે. પણ પક્ષીઓમાં બુદ્ધિ હાય, ચાડિયાને ઓળખી જાય, તેને ન ગણકારે. અરે ! ચાડિયાના માથે આવીને બેસે, તે ચાડિયે પણ પક્ષીઓથી પાકને ન બચાવી શકે. એટલે પછી રખડું રાખવું પડે, કાં તે ઘરને માણસ હોય, કાં કઈ પગારદાર માણસ. પણ તેનું કામ એક જ. આખો દિવસ પક્ષીઓને ઉડાડવાનું. તેને બહુ સજાગ રહેવું પડે. ગપ્પાં મારવા બેસી બંધુઓ ! વ્રતના પાલન માટે પ્રતિજ્ઞા લીધી એટલે વાડ બંધાઈ ગઈ કે કઈ પણ જાતનાં પ્રભને અંતરમાં ઘુસી ન શકે. જેમ કે ઉપવાસ હોય અને ખાવાને ગમે તે મિષ્ટ પદાર્થ સામે આવે તે પ્રતિજ્ઞાવાળો માણસ કહી શકે, “મારે ઉપવાસ છે, નહીં ખાઉં” જે પ્રતિજ્ઞા ન હેય તે તરત મન લલચાઈ જાય અને ખાઈ લે. હવે પ્રતિજ્ઞા હેાય એટલે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy