SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 218 હું આત્મા છું જોડવામાં, તેનું પોષણ કરવામાં, તેને વધારવામાં જ ર–પ રહેતે હોય. એ માટેનાં સર્વ સાધનેની મુખ્યતા માની, તેમાં જ પિતાનું હિત સમજતા હોય. આમ મમત્વ અને મેહભાવના કારણે તેને આત્મલક્ષ્ય જાગૃત થાય નહીં. “આત્મા છું. નિરાગી નિષ્કામ શુદ્ધ, ચૈતન્ય દ્રવ્ય છું. સર્વ પર પદાર્થોથી નિરાળે છું. આવી ભાવના જાગે જ નહીં. તેના મન, વચન, કાયાના ગે માત્ર સંસાર ભાવમાં જ રમતા હોય. | વિચારો બંધુઓ ! રાતદિવસ અનેક વિચાર કરે છે. શાના હોય છે એ વિચારે? એક દિવસ તે એવું કરજે કે આ દિવસ જે વિચાર આવે તેને નેધ્યા કરે અને પછી જેજે કે ક્યા-ક્યા વિચાર આવ્યા. આત્માના કે આમા સિવાયના અન્ય ? મને લાગે છે કે કોઈભાગ્યવાનું જીવને જ આખા દિવસમાં પળ-બે પળ આત્મા યાદ આવતું હશે. બાકી તે સંસાર, સંસાર ને સંસાર! એ સિવાય કશું જ નહીં. અરે ! અહીં ધર્મ સ્થાનકમાં બેઠા છે ત્યારે પણ શેના વિચારો આવે છે? પરિણામધારા કઈ બાજુ વહેતી હોય છે ? સાચું કહેશે ? અહીં બેઠાં પણ આત્મા યાદ નથી આવતું ! તમારામાંથી કોઈ કહેશે કે “મહાસતીજી ! અહીં બેઠા હાઈએ એટલી વાર તે આત્મા યાદ રહે છે. તે પણ સારું ! એટલા તે ભાગ્યશાળી છે. પણ જેને અહીં બેઠા પણ આત્મા યાદ ન આવે તેના માટે શું કહેવું ? બંધુઓ ! મુમુક્ષુતા કયારે પ્રગટશે ? સંતના ચરણમાં બેસ-સત્સંગની સભામાં બેસીને પણ જે મુમુક્ષતા ન પ્રગટતી હોય, આત્મલક્ષ જાગૃત ન થતું હોય તે ક્યાં થશે ? જે નિત્ય સંસાર ભાવમાં જ રહે છે, ધર્મનાં તરને પણ સાંસારિક ભાવથી જ સેવે છે, એવા જીને મતાથી કહ્યા છે શ્રીમદ્જી હવે પછીની ગાથાઓમાં મતાથી જીવોને ઓળખાણ કરાવવા માગે છે તેઓ કહે છે તેહ મતાથી લક્ષણે, અહી કહયાં નિપક્ષ. મતાથી જીવે કેવા હોય ? તેનાં લક્ષણો પક્ષપાત હિત કહેવા છે. જ્ઞાની પુરૂષે તટસ્થ વૃત્તિ ધરાવતા હોય છે. તેમની દષ્ટિમાં સજ્જન પ્રત્યે રાગ નથી હોતું અને દુર્જન પ્રત્યે દ્વેષ નથી હોતો. તેઓ તે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy