SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 160 હું આત્મા છું કેટલી સહિષ્ણુતા ! પ્રથમ કેદાળીના પ્રહાર અને પછી પગના પ્રહાર આટલું સહે પછી જ પાત્ર બનવાની યોગ્યતા આવે. બંધુઓ ! પ્રભુએ સાધુના 22 પરિસહ કહ્યા, શા માટે? વળી એને દુઃખ ન કહ્યાં, એમ કેમ ? “પરિ એટલે વારંવાર અને “પહ એટલે સહેવું. વારંવાર સહેજે-સહતે પોતાની સહિષ્ણુતાને કેળવતો જાય. આ જીવ સહન કરતાં શીખે જ નથી. જ્યારે-જ્યારે પ્રતિકૂળ નિમિત્ત આવે ત્યારે વ્યાકુલ થઈ જ જતે હેય. ભૂખ લાગી અને ખાવાનું હાજર નથી, તરસ લાગી ને પાણી હાજર નથી. ગરમીના દિવસો છે, બહુ ગરમી લાગે છે. ઠંડીને સમય છે, ઠંડી લાગે છે. સમતા રહે છે ત્યારે ? તરત જ ઊંચા-નીચા થવા માંડીએ, ઉપાય શોધીએ. પણ ક્યારેય એમ વિચાર્યું છે કે ઘણું લેકે તપ કરે છે. ઘણુ ગરીબને ખાવા મળતું નથી ને સહન કરે છે, તે હું થોડી વાર તે જોઉં કે ન ખાઉં તે શરીરને-મનને શું થાય છે ? પણ શરીરની પહેલાં તે મન ઉદ્વિગ્ન થઈ ઉઠે છે. એને જ વધુ તકલીફ થાય છે. પણ એ સમયે મનને કહીએ, તું શાંતિ રાખ ! તારે શું છે ? પિટને જોઈએ છે, એમાં તે શું કામ ડહાપણ કરે છે ? મારે મારી કટી કરવી છે. કસોટી કર્યા સિવાય પાસ નથી થવાતું–પૂછે બાળકને ! તેઓને પરીક્ષા આપવી પડે છે કે નહીં ? તેમ આપણે પણ સહનશીલત! કેળવવી છે, તે પરીક્ષા આપવી પડશે. અમારે જેમ પરીષહો સહનશક્તિનું માપ છે તેમ તમારે સંસારમાં આવતાં અનેક પ્રકારનાં દુઃખ જે કદાચ બાવીશ કરતાં પણ વધારે હશે તેને સમતા ભાવે સહે તે સહિષ્ણુતા કેળવાતી જશે. અમને કેટલાક લેકે પ્રશ્ન પૂછે કે H તમે શા માટે હાથથી કેશ. હુંચન કરી શરીરને આટલે ત્રાસ આપે છે ? પણ એને ઉત્તર એ અમારા માટે માપક યંત્ર છે શરીર પરંતુ મહત્ત્વ કેટલું ઓછું થયું એ જોવા માટે જ છ-છ મહીને લેચ કરવાની પ્રભુની આજ્ઞા છે. એક વાળ ખેંચાય તે પણ કેટલી પીડા થાય તે સહુને અનુભવ છે. તે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy