SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે જિન સ્વરૂપ 143 પ્રગટ કરે છે. જયાં આપણે જિનરૂપ સમજવું છે ત્યાં આ બન્ને અતિશને સમજવા પણ જરૂરી છે. તે આમ અરિહંત જિનેશ્વરનું વિસ્તૃત વર્ણન આપણે કરી ગયા. જેને અંતરથી સમજવાનો પ્રયાસ કરીએ. કારણ, સમજ્યા વણ ઉપકાર છે, સમજ્ય જિન સ્વરૂપ. | જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજીએ નહીં, તેમનામાં રહેલી અલૌકિકતા પ્રત્યે આદર ન પ્રગટે, તેમના ગુણોની અપૂર્વતા જે લક્ષમાં ન આવે, તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ જાગે ક્યાંથી ? અને તે વિના કલ્યાણ પણ કેમ થાય ? માટે જે અરિહંત પ્રભુના વાસ્તવિક સ્વરૂપને, સદગુરૂના ચરણશરણના આશ્રય વડે સમજીશું તે જ આપણે આપણું ઉદ્ધાર કરી શકીશું. અન્યથા ગમે તેટલાં વર્ષે ગુરુદેવના સાનિધ્યમાં રહીએ પણ તેઓના ઉપદેશને આત્મસાત્ ન કરીએ તે ગુરુદેવે કરેલા ઉપકારનું ફળ, કશું યે પામી શકીશું નહીં. માટે જ સદ્દગુરુના શરણને અનન્યભાવે ભજી આત્મામાં જિનરૂપની સમજણ વડે, નિજરૂપને પામવાની તીવ્ર લગન લગાડીએ. હવે આગળ જીવને શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy