SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સેવે સદ્ગુરુ ચરણને 107 ભરેલા હતા અને તેથી સંસાર જ વધે. પણ જ્યારે આ સંસારી ભાવથી પર થઈને આત્મિક-અર્થની સાધના માટેનાં કારણેનું સેવન થાય ત્યારે જ તે ખરે પરમાર્થ. અને એ પરમાર્થ તરફ રુચિ-ભાવ-શ્રદ્ધા આચરણ જાગતાં નિજ પદને લે લક્ષ. નિજ પદ એટલે પિતાનું મૌલિક સ્વરૂપ! હું આત્મા છું “સચ્ચિદાનંદ સ્વરૂપી છું “ત્રિકાળ અબાધિત અખંડ દ્રવ્ય છું આ સ્વ સ્વરૂપને લક્ષ આવે છે. જીવમાં ! બંધુઓ! સદ્ગુરુનાં ચરણ-શરણથી જીવ કેટલું પામે છે? જે ક્યાંય નથી પામી શકો, કદી નથી પાપે તે પામે છે! આ જ વાતને વળી વધુ સ્પષ્ટ કરી શ્રીમદ્જી પિતાના અન્ય કાવ્યમાં ફરમાવે છે. બિના નયન પાવે નહીં, બિન નમન કી બાત; સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત, બુઝી ચહત જે પ્યાસકે, હ બુઝાનકી રીત; પાવે નહીં ગુમ બિના, એહ અનાદિ સિથત. બિના નયનની વાત એ શું? જે અનુભવ ઇંદ્રિયથી થઈ શકતે નથી, પણ ઈદ્રિયાતીત છે એ આત્માનુભવ તે જ બિના નયનની વાત. આપણું આ ચર્મ ચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થોને જોઈ શકે છે, પણ અરૂપી એ આત્મા આ નયનેમાં સમાતો નથી. તેને જાણ હય, જે. હોય તે શું કરવું? અરૂપી આત્માને જેવા અરૂપી દગ જોઈશે. અર્થાત્ એ નયને અંતરમાં ઉઘાડવાં પડશે. અંતરને થયેલ ઉઘાડ, અંતરની અનુભવ દશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માને સાક્ષાત્કાર કરાવે. પણ એ લગન લગાડે કોણ? જેમણે પોતે આત્માનુભવ કરી લીધું છે તેઓ. માટે આત્માનુભવી પુરુષના ચરણે ચાલ્યો જાય, તેમના ચરણનું શરણ ગ્રહણ કરી લે તે પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય, આત્માની ! આત્મામાંથી ઝરતા પરમાનંદના રસને જેણે હજુ સુધી માર્યો નથી અને તેથી જ એ રસની પ્યાસ જેની તીવ્ર થઈ છે એ રસ વિના જે બેહદ આકુળતા અનુભવી રહ્યો છે. પરમાનન્દના રસથી રસબોળ થયેલા સપુરુષનાં દર્શને, તેમના સાનિધ્યે જેની તૃષા બેવડી વધી રહી છે એવા
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy