SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પછી આવક અનિતિ છે. આ ભાવ ની સફરથી થઈ રાવ 80 હું આત્મા છું કેઈને ય ચાલતું નથી. પણ એ બધી જ ક્રિયાઓ થવી જોઈએ એમ આપણે માનતા હોઈએ છીએ. પણ બંધુઓ ! આ તે વિવેકનું સ્થૂલ સ્વરૂપ જ માત્ર કહ્યું કે જે દ્રવ્ય દયા સુધી જ સીમિત છે. પરિણામે, જીવ યથાપ્રવૃત્તિ કરણ સુધી પહોંચે છે. પૂર્વે જે કરણ જીવે અનેક્વાર કર્યું છે. પણ સ્વભાવ પ્રાપ્તિ માટે આવશ્યક અનિવૃત્તિકરણ તો ભાવ દયાથી જ પ્રગટે છે, જે વિવેકનું સૂક્ષ્મ તથા આંતરિક સ્વરૂપ છે. આ ભાવ દયાને શી રીતે સમજવી ? ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં, અર્થાત્ ચેતનની કુરણાથી થતી સર્વ દૈહિક ક્રિયાઓ કરતાં-કરતાં “હું આત્મા છું દેહથી ભિન્ન છું એવી સતત લક્ષ્ય ધારા વર્યા કરે, જેથી ભાવ દયા પુષ્ટ થાય. સ્થૂલ વિવેકથી દ્રવ્ય દયા પુષ્ટ થાય તે અંતરંગ વિવેકથી ભાવ દયા. આવી રીતે સર્વથા વિવેક પ્રગટે. આ જ છે મુમુક્ષુની ગ્યતા. તે જીવે પિતાની યેગ્યતા પહેલાં તપાસવી. પિતાની રુચિ, રસ અને શક્તિને વિચાર કરી આરાધના માર્ગે પિતે શું અને કેટલું કરી શકે તેમ છે તેને નિર્ણય કરી આચરવું. આંતરવત્તિઓને જીતવા માટે જે બાહ્ય ત્યાગની આવશ્યકતા હોય તે એ કરી લે. જે એવી ગ્યતા પ્રગટી હોય કે બાહ્ય ત્યાગ વગર પણ આંતરવૃત્તિઓ સંયમિત થઈ શકે છે તે આંતરસયમ કરી લે. આત્માના ઉત્થાન માટે ત્રણ માર્ગો બતાવ્યા છે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ, એ ત્રણમાંથી, જે કરવાથી આત્મવિકાસ થતું હોય તે કરી લે. અર્થાત્ પિતાના અંતરવિકાસ ક્રમની દષ્ટિથી, એટલે વિકાસ થયે હોય, ભાવનાઓ જેટલી કેળવાઈ હોય, એ રીતે જ માર્ગ પસંદ કરી લે ઘટે. કયા માર્ગે જવાથી કલ્યાણ થશે તે વિવેક કરી લેવો જોઈએ. સહ છે માટે એક સરખું નથી હોતું. કેઈભક્તિમાર્ગે આગળ વધી શકે, કઈ જ્ઞાન માર્ગે આગળ વધી શકે, કેઈ કર્મ માર્ગે આગળ વધી શકે. એનો વિવેક પિતે જ કરવાનું છે. કે આ ત્રણમાંથી એક માર્ગે આગળ વધતો જીવ જ્યારે ખૂબ
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy