________________ પરંતુ કાંઈ પણ જમાનાની નૈતિક દશાનું તેલન કરવામાં, નીતિવેત્તાઓનું દૃષ્ટિબિંદુ તપાસીને બેસી રહેવું એટલું પૂરતું નથી. પરંતુ લેકેમાં તે દૃષ્ટિબિંદુને કેટલે સાક્ષાત્કાર થયો હતો તે જોવું પણ આવશ્યક છે. પ્રજાની ભ્રષ્ટતા ઘણીવાર તેના ઉપદેશકેના થાબડીઆ અને સ્વાર્થી સિદ્ધાંતમાં પ્રતિબિંબિત થાય છે; પરંતુ કેટલીક વખત તેને પ્રત્યાઘાત પણ થાય છે, જેથી કરીને સમાજના પ્રચલિત પવનની છેક વિરૂદ્ધ જઈને તે ઉપદેશકને તપવૃત્તિનું બેધન કરવું પડે છે. જે સાધનોથી નૈતિક ઉપદેશકે પિતાના જાતભાઈઓ ઉપર અસર કરે છે તે સાધનો સ્વભાવ અને બળ પર ઘણાં ભિન્ન ભિન્ન હોય છે, અને ઘણીવાર જે જમાનામાં નૈતિક વર્તન ઘણુ ઉંચા પ્રકારનું હોય છે તે જમાને નીતિના ઉંચા ઉપદેશને નથી હોત. કોઈ વખત જમાનામાં નીતિને ઉંચે ઉપદેશ થતું હોય છે, પણ લોકોની નીતિ ઉપર તેની અસર થતી જણાતી નથી. કેટલીક વખત સામાન્ય પક્તિના નીતિવેત્તાઓ પોતાના સમાજના દરેક ભાગમાં ઘણી અસર ઉપજાવી શકે છે. એટલા માટે ઉપદેશકેના ઉપદિષ્ટ નૈતિક ધોરણ અને નમુના ઉપરાંત, લેકેમાં સાક્ષાત નીતિ કેટલી હતી તે પણ ઈતિહાસકારે જોવું જોઈએ. ઓગસ્ટથી શાર્કમેન સુધી યુરોપને નૈતિક ઇતિહાસ તપાસવામાં ઉપરોક્ત ત્રણ બાબતો મેં ધ્યાનમાં રાખી છે. શરૂઆતમાં નીતિને સ્વભાવ અને બંધને કેવાં છે તે સંબંધી પ્રતિસ્પર્ધા સિદ્ધાતિ મેં તપાસ્યા છે, અને સુધારાની અવસ્થાઓને ક્રમે ક્રમે ક્યા ક્યા સદાચારે ખાસ બંધબેસતા આવે છે તે પણ મેં બતાવ્યું છે, કે જેથી કરીને ખાસ બળને લીધે નીતિને સ્વાભાવિક વિકાસ કેટલે દરજજે અવરૂદ્ધ થયો છે કે ત્વરિત થયો છે તેને નિશ્ચય આપણે કરી શકીએ. પછી વિધર્મી રાજયના નૈતિક ઈતિહાસમાં હું પેઠે છું; અને તેમાં સ્ટેઈક મત, મિશ્રવાદ અને મિસરના. તત્ત્વજ્ઞાન ક્રમે ક્રમે તપાસ્યાં છે; અને સમાજની સામાન્ય દશાના કેવી રીતે એ પરિણામ હતા અથવા તે દશા તેમાં કેવી રીતે પ્રતિબિંબિત થતી હતી હતી તે બતાવ્યું છે; કાયદા અને સાહિત્યમાં તેમની કેવી અસર થઈ હતી