________________ તે જોયું છે અને શહેનશાહ અને તત્ત્વચિંતકના સઘળા પ્રયાસે જે ભ્રષ્ટતાને અટકાવવા અશક્ત નીવડયા હતા તેનાં કારણેની તપાસ કરી છે. પછી બ્રિતિધર્મની ફતેહ ઉપર આપણું લક્ષ ચોંટે છે. આ બાબતમાં કેવળ ધાર્મિક અને વિવાદગ્રસ્ત વિષયોથી હું જેમ બને તેમ દૂર રહ્યો છું; અને એક નૈતિક બળ તરીકે ખ્રિસ્તિધર્મ યુરેપમાં શું શું કર્યું છે તેજ માત્ર ને તપાસ્યું છે. તેથી વિધર્મી રાજ્યના સંજોગોથી એ ધર્મને કેવી રીતે અટકાયત થઈ અથવા સહાય મળી, આ અટકાયત કેવી જાતની હતી, એની ફતેહ થતાં એનું રૂપાંતર કેવું થઈ ગયું, તપોવૃત્તિને ઉત્સાહ કે હતા, અને જંગલીઓના હુમલામાંથી કેવાં પરિણામ આવ્યાં, અને સમાજની નીતિ ઉપર તેની જે જે અસર થઈ છે તે બધું મેં તપાસ્યું છે. મનુષ્ય જદગીની પવિત્રતાનું વધતું જતું ભાન, સખાવતને ઇતિહાસ, સંતજીવનની કથાઓની ખીલવણ, સામાજીક અને કૈટુંબિક સદાચાર ઉપર તવૃત્તિની અસરો, મઠની સંસ્થાઓનાં નૈતિક પરિણામે, બુદ્ધિના સદાચાર, અસ્ત થતા ખ્રિસિત રાજ્ય અને તેની જગાએ આવતા જંગલી રાજ્યના સદાચાર અને દુરાચાર, વ્યાવહારિક પદવીની ધીરે ધીરે આવતી પૂજા, અને ખ્રિસ્તિ ધર્મના લડાયક સમયની પ્રાથમિક અવસ્થાઓ કે જે ધર્મયુદ્ધોમાં શિબિંદુએ પહોંચી હતી; આ બધી બાબતો ઉપર થોડું ઘણું વિવેચન મ ' કર્યું છે અને છેવટે સ્ત્રીઓની પદવી પરત્વે થએલાં પરિવર્તને ઉપર દૃષ્ટિ નાખી સ્ત્રી પુરૂષના સંબંધમાં સમાએલા નૈતિક પ્રશ્નોને વિચાર મેં કર્યો છે. આ બધું કરતાં મારા આગલા પુસ્તકોના વિચાર આમાં ભળી ગયા છે અને બે ત્રણ જગેએ તે તેમાં આપેલી હકીકત આમાં પણ ફરીને મેં આપી છે. દષ્ટાંતિને રસ લઈ લેવા કરતાં અથવા “જુઓ અમારું પુસ્તક ફલાણું, પાનું ફલાણું’ એમ કહેવામાં સમાએલી આપ વડાઈને દેખાવ કરવા કરતાં મને તેમ કરવું વધારે વાજબી લાગ્યું છે. છે કે જે દષ્ટિબિંદુથી આ ઈતિહાસ મેં લખ્યો છે તે ઈતિહાસ, મારી માહિતી પ્રમાણે હજી સુધી લખાયો નથી; તે પણ તેમાં સમાએલી હકીકતો નવીન નથી, અને તેથી પરિચિત ભૂમિમાં જ અમારે પ્રવાસ છે. આ