SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓની પદવી.' ૪ર૭ સમીપ બંને પરિણામે એણે ધ્યાનમાં લેવા જોઈએ. લગ્નથી પિતાના સાથીની અવસ્થા શી થશે, સમાજ એ સંબંધને કઈ દૃષ્ટિથી જોશે, છોકરાં જન્મે તે તેમની સંભવિત સ્થિતિ કેવી લાગે છે, તેમના જન્મની કેવી અસર થશે અને એકંદરે સમાજના શ્રેય ઉપર પિતાના દાખલાની અસર કેવી બેસશે; આ બધા વિચાર એણે કરવા જોઈએ. આ ગણત્રીમાં કેટલાંક ત સમાજની જૂદી જૂદી દશામાં જુદાં જુદાં હોય છે. આ પ્રમાણે જે સંબંધેની એક જમાને પરવાનગી આપતો હોય તેમને બીજો જમાનો કદિ નિંદે અને તેથી તેમને માટે શિક્ષા પણ કરે; અને છોકરાની સંભવિત સ્થિતિ અને સમાજ ઉપર તેમના જન્મની અસરને આધાર તેના પિતાના ખાસ સંજોગે અને પ્રજાના સંગે ઉપર હોય છે. બીજી બાબતમાં વિચાર કરવાના છે તે આ પ્રમાણે આ વ્યવહારની અસરથી નૈતિક વૃત્તિઓ બહેર મારી જશે કે વિકાસ પામશે ? ચારિત્ર્યને ક તેથી ઉચે થશે કે નીચે થશે ? પનાના ફાંટા તેથી ઉશ્કેરાશે કે શાંત પડશે, કે જેથી કરીને વિશુદ્ધ પ્રેમને માટે માણસે નાલાયક થાય છે અથવા તેમના પ્રેમનું ક્ષેત્ર વિસ્તાર પામે છે અને આપણું સ્વભાવને પશુભાગ ઓછો વધતે આગળ પડે છે? આપણું નૈતિક સ્વભાવના સહજ પ્રત્યક્ષથી આપણે જાણીએ છીએ કે આ પશુભાગની વિશેષતા ભ્રષ્ટ છતાં હમેશાં અસુખકારક નથી હોતી. વળી આપણે એમ પણ જાણીએ છીએ કે આપણું જીવનનો કાયદો એ છે કે અમુક પ્રકારના લગ્નથી આપણી પ્રબળ અને સુંદર ભાવનાઓ જે પ્રથમ આપણામાં ગુપ્ત રહેલી હોય છે તે વિકસિત થઈ ખુલ્લી થાય છે; અને અમુક પ્રકારનાં લગ્ન તે ભાવનાઓને બુટ્ટી કરી નાખે છે અને ચારિત્ર્યને ભ્રષ્ટ કરે છે. આવા વિચાર કરતાં આપણને એમ કહેવાનાં પુષ્કળ કારણો મળે છે કે એક જ સ્ત્રી અને એક જ પુરૂષ જીંદગી પતના સાથી રહે એ સ્ત્રી પુરૂષના સંબંધને વાસ્તવિક અને સામાન્ય પ્રકાર છે અને એવા સિદ્ધાં. તથી લેકેનું સુખ અને નૈતિક શ્રેય એકંદરે વધી ઉત્તેજીત થાય છે. તેથી
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy