________________ ૪ર૬. યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગણાતું હતું એ વાત પણ આ બાબતમાં પાછા હઠવાનું એક કારણ છે. પિતાની આપવા કે સાહસની વૃત્તિને સંતોષવાની ખાતર ઠંડે પેટે નિર્દોષ સ્ત્રીઓને પિતામાં પ્રેમમુગ્ધ કરીને અથવા તેમને વિશ્વાસ ઉપજાવીને એક પુરૂષ તેમને ફસાથે જાય અને લેકે તેની પ્રશંસા કર્યું જાય એ વાત ઇતિહાસના પૃષ્ટમાં અતિ ખેદજનક છે; અને છતાં સૈકાઓ પર્યત એ પુરૂષ સમાજના સાહિત્યમાં વખણાતો હતો. પ્રાચીન ગ્રીસમાં વારાંગનાને જે પદ પ્રાપ્ત થયું હતું તેવું નૈતિક દષ્ટિબિંદુ તે સમયનું જણાઈ આવે છે. હકીકત એમ છે કે એક જ કાર્યમાં સ્ત્રી પતીત ગણાય અને પુરૂષ નિષ્પા૫ રહે એ વાત બને જ નહિ એ અગત્યનું સત્ય પ્રાથમિક ખ્રિસ્તિઓએ ઉમદા રીતે અમલમાં મૂકયું હતું, તથાપિ ખ્રિસ્તિ દુનિયાના લેકઅભિપ્રાયમાં તે સત્યને પ્રવેશ હજી થયો નહોતે. તેમ છતાં ખ્રિસ્તિ સંસ્થાએ લગ્નમાં ધર્મનું જે ગુહ્યતત્ત્વ મૂકયું હતું તેની અસર અત્યંત થએલી છે. એક પુરૂષે એક જ સ્ત્રી કરવી જોઈએ એ સિદ્ધાંત સ્થાપવામાં ખ્રિસ્તિ ધર્મ સફળ પરિશ્રમ કર્યો છે. લગ્નમાં ધર્મ પ્રતિજ્ઞા છે, અને લગ્ન એ ઈશુ ખ્રિસ્ત અને તેની સંસ્થાના સંયોગની એક પ્રતિકૃતિ રૂપ છે એમ કાંઈક ગુહ્ય અને ઘણું સ્પષ્ટ નહિ એવા અર્થમાં કહીને, લગ્ન એ જીવતાં સુધી સ્ત્રી પુરૂષનું પવિત્ર બંધન છે એવી ભાવના તે ધર્મ ઉપજાવી છે. આ ભાવનામાં હવે કોને પ્રાથમિક નીતિનું સહજ દર્શન સમજાય છે. - સામાન્ય રીતે લગ્નની પવિત્રતાનું જે સખ્ત બંધન કહેવામાં આવે છે, તેને આધાર કુદરતના કાયદા ઉપર નહિ પણ ધર્મના કાનુન ઉપર રહેલો હોય છે. તથાપિ સ્ત્રી પુરૂષ જીદગી પતના સાથી જોઈએ એ વિચારનું સમર્થન કેવળ બુદ્ધિથી વિચારતાં પણ ઘણે અંશે થઈ શકે છે. ધર્મના આદેશની વાત એક કેરે રાખતાં પણ પુરૂષનું આખું કર્તવ્ય માત્ર બે નિયમમાં સમાઈ જાય છે. માત્ર બુદ્ધિને જ ઉપયોગ આપણે કરીએ તે પણ પિતાના સુખને જે વાતથી નુકસાન થાય અથવા ધારિ ચમાં ભ્રષ્ટતા આવે તે વાત કોઈપણ માણસે કરતાં અલગ રહેવું જોઈએ એ સ્પષ્ટ છે. પ્રથમની બાબતમાં પિતાના કાર્યથી ઉપજ દૂરસ્થ અને