SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ કોન્સ્ટનટાઈનથી સામેન સુધી. 343 ધર્મનું તાત્પર્ય હોતું નથી; અને અનુભવમૂલક વૈજ્ઞાનિક શોધક-વૃત્તિ ધર્મના લાભને હમેશાં પ્રતિકૂળ હોવાનું આ પણ એક મોટું કારણ છે. અંધ શ્રદ્ધાથી જ હમેશાં ધર્મને લાભ થાય છે. વિજ્ઞાનશાસ્ત્રની પદ્ધતિ સંદેહાત્મક અને નિષ્પક્ષ હોય છે. વિજ્ઞાનશાસ્ત્રી બુદ્ધિપૂર્વક નિર્ણય બાંધવામાં બહુ વિચાર કરે છે, થેલે છે, અને કોઈ પણ વાત માનતા પહેલાં તેને સખત પૂરાવો માગે છે; અને ઉતાવળથી સિદ્ધાત સ્થાપી દેવાના મનુષ્યના વલણને તે દુર્ગણ લેખે છે. વળી ન પૂરા મળતો પિતાના વિચાર ફેરવવા એ હમેશાં તત્પર રહે છે. ડગલે ડગલે વિચાર કરીને ચાલતી આ સંદેહાત્મક પદ્ધતિથી મહાન બુદ્ધિ વિષયક કાર્યો છેલ્લા ત્રણ સૈકામાં થયાં છે. વિજ્ઞાનશાસ્ત્રમાં ભારે ભારે શે આમ દરેક દિશામાં સંશયાત્મવાદથી લાભ થયો છે. તેથી કરીને જેટલે અંશે માણસો આ અનુભવ સૂચક (inductive) શાળામાં કેળવાયેલાં હોય છે તેટલે અંશે તે માણસે, જે ધર્મ સંદેહની દશાને પાપ ગણે છે, લાભ અને લાગણીઓથી વિવેક બુદ્ધિનું નિયમન કરવાનો પ્રયાસ કરે છે અને બુદ્ધિના નિષ્પક્ષ નિર્ણયને નષ્ટ કરવાને મુખ્ય ઉદેશ રાખે છે તે ધર્મથી વિમુખ થાય છે. પરંતુ જો કે વૈજ્ઞાનિક વલણને કટ્ટો શત્રુ જ કેથલિક સંપ્રદાય હતો એમ કહ્યા વિના ચાલતું નથી; પણ બંધાઈ ગએલા ચારિત્ર્યથી મનુષ્યના અભિપ્રાય મેટે ભાગે નિશ્ચિત થાય છે એ અતિ અગત્યનું સત્ય કેથેલિક ધર્મ હમેશાં સ્વીકાર્યું છે. તેથી જે અભિપ્રાય ફેલાવવાની તે સંપ્રદાયની ઈચ્છા હતી તેને જે નૈતિક નમુને અનુકૂળ આવ્યો તેને જ કેળવવાનો એણે સતત પ્રયાસ કર્યો છે, અને આ નમુનામાંથી થતા વિમાર્ગગમનમાં માનસિક પાખંડનું પૂર્વ વલણ ઘણીવાર રહેલું હોય છે. એવા દઢ નિશ્ચયને લીધે જ બ્રાંતિમાં ગુનો છે એમ પ્રથમ તેઓ ઘણું ખરું માનવા લાગ્યા. પછી તેમાં પાદરીઓની અને બીજી વગે ભળતાં તે સિદ્ધાંત વિસ્તાર પામ્યો. પછી તે વિચારશીલ, ઐતિહાસિક અને નિયામક અનેક પ્રતિજ્ઞા વાક્યો મોક્ષને માટે આવશ્યક મનાવા લાગ્યાં; અને જે માણસ તે ન સ્વીકારે તે માણસ ખ્રિસ્તિની દયાના બંધનની કેવળ બહાર ગણાવા લાગ્યો.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy