SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 336 યુપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. થયું. આમાંથી આગળ જતાં જાગીર સંસ્થા (Feudal System) અને બીજી પણ વ્યવસ્થાઓ જન્મ પામી. આજ્ઞાધીનતા તે વખતે નવીન સદાચાર નહતો, પણ દીનતાને સ્વભાવ તે લગભગખ્રિસ્તિ ધર્મનું જ ખાસ લક્ષણ હતું, અને તેને પ્રચાર મઠમાં ઘણો હતે. અહંકારની દરેક ભાવનાને ભગ્ન કરવાની વ્યવસ્થા તે સંસ્થામાં હતી. આ મોટા સાધન દ્વારા કેથલિક સંપ્રદાયે મનુષ્યનાં હૃદય ઘણાં કમળ કર્યા છે. માણસમાં ખરેખરી દીનતાને ગુણ નહાય તથાપિ તેનામાં પરોપકાર વૃત્તિ અને મળતાવડાપણું કવચિત હોય છે અને સુધારાની ઉચ્ચ સંસ્કૃત દશામાં એવું ઘણીવાર જોવામાં આવે છે. પરંતુ ખરેખરી દીનતા જે માણસમાં હોય તે તેની કોમળ અસર તેના આખા જીવનમાં થયા વિના રહેતી નથી એ નિઃસંશય છે. લડાયક જાતને નમ્ર બનાવવા માટે પ્રથમ તેમનામાં દીનતાને જાગ્રત કરવી આવશ્યક છે. સામાછક અને કૌટુંબિક લાગણીને નાશ, સંસ્થાને અંગે ઉપજતા સાંકડા વિચાર, અને વિશેષ કરીને પાપડના ગુના સંબંધી ક્રૂર અભિપ્રાયેની પ્રચલિતતાને લીધે એ સંસ્થાના કેટલાક માણસોનું આચરણ અત્યંત ક્રૂર થતું; તથાપિ સખાવતના રિવાજથી અને દીનતાના દૃષ્ટિબિંદુથી ખ્રિસ્તિ રાજ્યમાં કઈક કોમળ અસર થયા વિના રહી નથી. પરંતુ આ દષ્ટિબિંદુ થોડા સમય માટે ગમે તેવું લાભદાયી હોય, પણ પાછળના સુધરેલા જમાનાને અનુકૂળ આવે એવું નહોતું. માની સંસ્થા જ્યાં સર્વોપરી સત્તા ભોગવતી હોય છે ત્યાં રાજકીય સ્વતંત્રતા લગભગ અશક્ય થઈ પડે છે, કારણ કે એ સંસ્થા પ્રજાની શકિતઓને સામાજીક અને રાજકીય પ્રવાહમાંથી ધર્મના પ્રવાહમાં વાળે છે એટલું જ નહિ પણ તે ગુલામગીરીને જ ઉપદેશ આપે છે. રાજ-સત્તાને ઓછી કરે પણ તે સત્તા પિતે જ ધારણ કરે એવી ખાસ યોગ્યતા કેથલિક સંપ્રદાયમાં રહેલી છે. જ્યાં વિચાર કર્યા વગર મૂંગે મેંહે તાબે રહેવું એ જીવનને ઉચામાં ઉચે પ્રકાર ગણાય છે અને પૂજાય છે ત્યાં સ્વતંત્રતાને ઉત્સાહ અને જુસ્સો
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy