SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. બહુ ઉત્તેજન મળતું; મુસાફરોને ત્યાં વિશ્રામસ્થાન મળતું; લડાઈમાં તે પવિત્ર સ્થાન ગણાતાં; અને અમીરેની સત્તા તેથી અંકુશમાં રહેતી હતી. પણ જ્યારે જંગલીઓના હુમલા બંધ થયા અને સમાજની સુઘટ યવસ્થા ધેરણસર થવા લાગી ત્યારે આવી સેવાઓની જરૂર રહી નહિ, આ વાત તેમના નૈતિક નમુનાને પણ લાગુ પડે છે. બેનેડિકટ મતના સાધુએ પિતાની સંસ્થાની વ્યવસ્થામાં મહેનતને આવશ્યક તત્વ ગણતા હતા, તેથી ગુલામગીરીએ મહેનત ઉપર કલંકની જે છાપ મારી હતી તે ભુંસાઈ ગઇ આ સેવા મઠની સંસ્થા એકઠી કરી છે એ વાત બેશક ખરી છે; પરંતુ આ વાત પણ સત્ય છે કે જ્યારે ઉદ્યોગ-વૃત્તિ પ્રાથમિક દશામાંથી નીકળી આગળ વધી, ત્યારે ગરીબાઈ પવિત્ર છે અને સમૃદ્ધિથી બુરાં પરિણામ આવે છે એ બે સિદ્ધાંત જે આ સંસ્થાના સુત્રરૂપ હતા તે એના કટ્ટા વેરી થઈ પડ્યા. નાણું વ્યાજે આપવાની વાતને મઠની સંસ્થા પાપરૂપ ગણતી હતી. પરંતુ તે વાત પણ ઔદ્યોગિક સાહસના કાળમાં ચાલે એવી નહોતી. પરંતુ સન્યાસી જીવનનું સ્થિત્યંતર મઠના જીવનમાં થતાં ચારિત્ર્યના પરિવર્તનમાં એક અગત્યને લાભ થયો છે. કારણ કે તેથી આજ્ઞાધીનતાની ટેવ અને દીનતાના સદાચારને આગળ કદિ નહિ મળેલું સ્થાન સમાજમાં મળવા લાગ્યું. સન્યાસી જીવનથી સ્વતંત્રતાને પવન અને આધ્યાત્મિક મગરૂરી અત્યંત વિકાસ પામી બહાર આવતાં, અને દરેક પ્રખ્યાત સંતને કે અમુક સદગુણને ખાસ નમુને ગણીને તેના ચારિત્ર્યના તે ભાગને ખાસ અભ્યાસ કરવા તે સંતની જાત્રાએ જવાનો રિવાજ ખ્રિસ્તિ સંસ્થાએ પાડયો હતો એ વાતથી ઉપરની હાકકતને વધારે ઉત્તેજન મળતું. તેથી સ્વાભાવિક રીતેજ સતે અત્યંત માની અને અહંકારી બનતા કારણકે તેમને ખાવાની પણ તમા રહેતી નહિ, પરંતુ પાશ્ચાત્ય મઠેમાં આજ્ઞાધીનતા અને દીનતાને ખાસ ઉપદેશ થ; અને મઠમાં તેને અમલ થતો, અને તેથી સાધુઓમાં તે ગુણે ખાસ કેળવાતા અને મઠના સાધુઓ નીતિમાં આદર્શરૂપ ગણાતા હોવાથી તેમના જીવનમાં એ સદાચાર જોઈ લેકે પણ તે સદ્દગુણોને ઉચ્ચ સ્થાન આપવા લાગ્યા. અને તેથી નીતિના ક્રમમાં તેમને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy