SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ 316 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. કહ્યું કે છેલ્લાં સાઠ વર્ષથી તેને એ પ્રમાણે અરધે રોટલો મળસે હતો; પણ આજે આખો આવ્યો તેથી સંત એન્ટનીને મળવામાં એણે વાજબી કર્યું છે એમ એ ઉપરથી સાબીત થાય છે. બન્નેએ ઈશ્વરનો ઉપકાર માન્ય અને નિર્મળ ઝરાની પાસે બન્ને જમવા બેઠા. પણ પ્રથમ શરૂઆત કોણે કરવી એ બાબત હવે મુશ્કેલી ઉભી થઈ સંત એન્ટની મહેમાન હોવાથી એણે શરૂઆત કરવી જોઈએ એમ સંત પલે કહ્યું. પણ સંત એન્ટનીને નેવું વર્ષ થયાં હતાં, તેથી સંત પલ વયોવૃદ્ધ હોવાથી શરૂઆત એણે કરવી જોઈએ એમ સંત એન્ટનીએ કહ્યું. અને વિનયના ખેતી અને જણ એવા તો હતા કે આ અગત્યના પ્રશ્નનો તેડ કાઢતાં સાંજ પડી અને છેવટે એમ ઠર્યું કે બન્ને જણાએ તે રેટલ સાથે પકડી સામસામે ખેંચો એટલે એની મેળે તેના કટકા થઈ જશે. લાંબી વાતને ટૂંકી કરી નાંખતાં, પછી જ્યારે સંત પલ પંચત્વ પામે ત્યારે તેને સોબતી સંત એન્ટની વૃદ્ધ હોવાથી તેને દાટવાની મહેનત એ કરી શકો નહિ. એટલે જંગલમાંથી બે સિંહ આવ્યા, તેમણે પિતાના પંજાથી કબર બેદી દીધી, તેમાં શબને પધરાવી દીધું; શેચની બુમો પાડવા માંડી, અને ઘૂંટણીએ પડીને સંત એન્ટનીને આશિર્વાદ યાચવા લાગ્યા. આ કથા સંત જેરામ પિતે વર્ણવે છે અને અક્ષરશ: સાચી છે એમ તે કહે છે, કેટલીક વિચિત્ર વાતો પણ કહેવામાં આવતી હતી. પિશાચો જેમાં રહેતા હતા એવા જાદુઈ બગીચા જોવાની જીજ્ઞાસા એક વખત સંત મેકેરિયસને થઈ. પિશાએ તેનાથી ડરી જઈ તેને બગીચા જેવા દીધા. ઇતિહાસકાર પેલેડિયસ કહે છે કે આ વાત સંત મેકેરિયસના પિતાને મોંએથી એણે સાંભળી હતી. બીજી કેટલીક કથાઓમાં તેમને ઉત્કટ વિનય ભાગ તરી આવે છે, અને કેટલીક કથાઓમાં તે સમયે જે વહેમે અત્યંત પ્રચલિત હતા તેમને સ્પષ્ટ નિષેધ કરેલું જોવામાં આવે છે. સંત મેકેરિયસ માંદો પડે ત્યારે દ્રાક્ષને એક લુમખો તેને કેઈએ આપે. ઉદાર ભાવથી પ્રેરાઈ એણે બીજા સન્યાસીને તે આપો; બીજાએ ત્રીજાને અને ત્રીજાએ ચેથાને આપે. એમ ફરતાં ફરતાં તે
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy