________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 305 આના જવાબમાં વિધર્મી પણ કહેતો કે વિજેતાને નાણુની રકમ આપવા માટે પરાક્રમ અને ભાગ્યદેવીના સોનાના પૂતળાંઓ પણ ગાળી નાંખવામાં આવ્યાં છે એ વાત પણ સમજવા જેવી છે. અર્થાત એક તરફ નવીન પ્રકારની પવિત્રતા અને પૂજ્ય બુદ્ધિનું ભાન લેકેને થવા લાગ્યું હતું, તે બીજી તરફથી શૌર્ય અને પરાક્રમ પણ દેશમાંથી ગયાં હતાં. રોમની પડતીમાં ખ્રિસ્તિઓ કેમ જાણે રાજી હોય તેમ બેદરકાર રહેતા હતા. ધર્મને નામે દેશદ્રોહ પણ થવા લાગ્યા હતા. આસ્તિક ખ્રિસ્તિઓના જુલમથી ત્રાસ પામી ડેનેટિસ્ટ નામના પંથવાળાઓએ જ્યારે ડાલ લેકેએ આફ્રિકા ઉપર ચડાઈ કરી ત્યારે દેશને પાયમાલ કરવામાં ઉઘાડે છોગે મદદ કરી હતી. ઇતિહાસમાં આવા અનેક દાખલા બન્યા છે, ધર્મને નામે થતી લડાઈએમાં એમ જ બને છે; અને ધર્મને નામે દેશદ્રોહ કરવામાં ધર્મના ઝનુનીને પાપ સમજાતું નથી. આ પ્રમાણે રેમના રાજ્યને છિન્ન ભિન્ન કરવામાં ખ્રિસ્તિ ધર્મ મુખ્ય ભાગ લીધે છે. જંગલી હુમલા કરનારાઓ પ્રત્યે ખ્રિસ્તિ ધર્મ રાખેલું વર્તન મનુષ્ય જાતને એકંદરે કેટલું ફાયદાકારક નીવડ્યું છે તે બરાબર કહેવું જરા મુશ્કેલ છે. નૈતિક અને રાજકીય ભ્રષ્ટતાની સહાયને લીધે રોમના રાજ્યને અસ્ત વેહેલે મોડો પણ અંતે ચોક્કસ હતો; અને નવા ધર્મ નૈતિક ઉત્સાહને પ્રવાહ એક દિશામાં અટકાવ્યો તો બીજી દિશામાં તેને ખુબ સતેજ કર્યો હતે. રેમનું રાજ્ય ખેદાનમેદાન થઈ જતાં લોકોને માથે જ્યારે સંકટ પડવા લાગ્યાં ત્યારે તે સંકટ સખાવતથી અને લવાદીથી ખ્રિસ્તિ ધર્મ ઘણું ઓછાં કર્યાં હતાં તેની ના કહેવાય એમ નથી; અને રાજકીય બાબતમાં તેઓ તટસ્થ રહેતા હતા તેથી જ લેકેનું હિત તેઓ ઘણું કરી શક્યા હતા એ પણ નિર્વિવાદ છે. પરંતુ તેમના આ તટસ્થપણાથી સદાચારના ક્રમમાં સવદેશાભિમાનને જે સ્થાન અપાતું હતું તેમાં મેટ અને કાયમનો ફેરફાર થઈ ગયો. પાછળના સમયમાં પ્રસંગે પાત એવું બનેલું છે કે જ્યારે વિરોધી સંપ્રદાયો સાથે ઝઘડામાં ઉતરવું પડે ત્યારે ખ્રિસ્તિપંથે એ આ સ્વદેશાભિમાનની વૃત્તિને અપીલ કરવામાં પિતાનો લાભ જોયો છે;