________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 265 મારે છે. અર્થાત ગરીબને દુ:ખમાંથી છોડાવવા માટે જ ધનને ઉપગ કરવાનો છે. પ્રેમ અને ન્યાયના આવા સિદ્ધાંતથી પ્રેરાઈ અનેક રીતે ખ્રિસ્તિઓ લેકના દુઃખમાં ભાગ લઈ તે ઓછું કરતા હતા. ઇ. સ. 326 માં કારથેજમાં, અને ગેલેનિયસ અને મેક્ષિમિયનના સમયમાં એલેકઝાડિયામાં, જ્યારે મરકી ચાલી ત્યારે વિધર્મીઓ ગભરાઈને નાસી ગયા. પણ ખ્રિસ્તિઓ તેમના ધર્મગુરૂની આસપાસ ભેગા થઈ હિંમતથી ત્યાં રહ્યા; અને અવસાન કાળે લેકેને ધીરજ આપી તજી દીધેલાં મડદાં દાટવા લાગ્યા. વળી અસંખ્ય ગુલામે ટા થતાં ગરીબ વધી પડ્યા ત્યારે મોકળે મને તેઓ તેમને મદદ કરતા હતા. વળી જંગલીઓના ભયંકર હુમલાથી લેકોને ત્રાસ થવા લાગે; જેનસેરીકે આફ્રિકા જીતી લીધું તેથી રેમમાં અનાજ આવતું બંધ થયું અને લેકે ભુખના દુઃખથી અત્યંત પીડાવા લાગ્યા; ઈટાલીમાં ભયંકર મરકી ચાલી અને દુકાળ પડવા લાગ્યા; આ સર્વ સમયે ખ્રિસ્તિ ગુરૂની ભવ્ય આકૃતિ વચમાં આવીને ઉભી રહેતી, અને ચારે તરફ પ્રસરાએલા દુઃખને બેજે ઓછા કરવાની તન તેડીને મહેનત કરતી. એલેરિકના વિક્રાળ સિપાઈઓએ જ્યારે રોમને સર કરી લુટવા માંડયું ત્યારે ખ્રિસ્તિ દેવળમાં લોકોએ આશ્રય લીધો હતો. જ્યારે હુણ લેકે રોમ ઉપર તલપી રહ્યા હતા ત્યારે ધર્માધ્યક્ષ સંત લીઓ ધર્મનો ઝભો પહેરી પિતાના સ્વદેશીઓના એલચી તરીકે તેમની સમક્ષ આવીને ઉભો રહ્યો હતો અને દુશ્મનોને સમજાવી ન પાછી વાળ્યા હતા. બે વર્ષ પછી જ્યારે વેન્ડલ વિજેતા રેમની દુર્દશા કરવા લાગ્યો ત્યારે એ જ ધર્માધ્યક્ષે વચમાં પડી કતલ કાંઈક અટકાવી હતી. આવા ઘણું દાખલા ઈતિહાસમાં મોજુદ છે. વળી એવી રીતે વચમાં પડીને ધર્મગુરૂએ રાજાઓ અને ન્યાયાધીશોને હાથે પણ દયાનાં કામ કરાવતા. થેસેલેનિકાની કતલ માટે સંત ઍબ્રાઝે થિઓડેશિયસ પાદશાહને પણ જાહેરમાં પ્રાયશ્ચિત કરવાની સજા કરી હતી, વગર ગુને મોટાં માણસો ગરીબને કાઢી મૂકે તે તેમને બહિષ્કાર કરવાની સજા છઠ્ઠા સૈકામાં થતી. કેટલાક પાદરીઓ અને સાધુઓ ઉદ્ધત બની ન્યાયના કામમાં વચ્ચે આ