SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. થવી ન જોઈએ; સીઝર અને સલાની પડે બીજાને તૂટીને સખાવત કરવી ન જોઇએ; દંભની ખાતર તે ન થવી જોઈએ; દયા કરતાં ઉપકાર-વૃત્તિથી વિશેષ પ્રેરિત એ થવી જોઈએ અને તેમાં લેનારની જરૂર અને તેના ચારિત્ર્યને વિચાર રહેવું જોઈએ. નીતિના ક્રમમાં અને ઉપદેશમાં સખાવતને અગ્રસ્થાન ખ્રિસ્તિ ધર્મ જ પ્રથમ આપ્યું છે. ઈશુખ્રિસ્તને ગરીબો ખાસ વહાલા હતા, તેથી તેના પ્રેમની ખાતર ગરીબોને મદદ કરવાની છે એ સિદ્ધાંત તેમણે સ્થાપે. અને સતાવણીના સમયે પણ દરેક રવિવારે તેમને મદદ કરવાનાં નાણું એકઠાં થતાં. અપવાસ કરી બચાવેલો ખોરાક ગરીબોને અપાત; અને પ્રીતિભોજને મુખ્યત્વે કરીને ગરીબોને ઉદ્દેશીને થતાં. અને સખાવત વ્યવસ્થા એવી તે સરસ રીતે ધર્મગુરૂઓ કરવા લાગ્યા કે દયાની આપ લે કરવામાં આખા ખ્રિસ્તિ પ્રદેશની એકતા થવા લાગી. અને જ્યારે બ્રિસ્તિ ધર્મને વિજય થયો ત્યારે સખાવતની અનેક સંસ્થાઓ લેકે સ્થાપવ. લાગ્યા કે જેને ખ્યાલ પણ વિધર્મીઓને નહોતે. ચોથા સૈકામાં એક રોમન સ્ત્રીએ સાર્વજનિક ઇસ્પિતાલ પ્રથમ જ બાંધી અને પછી ધીમે ધીમે ઇસ્પિતાલે વધવા લાગી. સંત બેસીલે ઘણું કરીને રગતપીતીએ માટે પ્રથમ આશ્રમ બાંધ્યું. ધર્મશાળાઓ પણ બંધાવા લાગી. ગરીબ માટે વારસા મૂકી જવાનો રિવાજ સાધારણ થઈ પડે, અને તેથી કેદપણ સ્ત્રી કે પુરૂષને પાત્ર જીદગી ગુજારવી હોય તે સગવડતા મળવા લાગી. પૂર્વ દેશી સાધુઓ પણ એકાન્તવાસી જીંદગીમાંથી બહાર આવી લેકેને સહાય કરવા લાગ્યા; અને મરકી કે દુષ્કાળના સમયમાં જાતમહેનત કરી મદદ આપતા.બ્રિતિ આલમના વિચારના પ્રથમ સ્વરૂપમાં વિશુદ્ધ સામાજીક મઆરવાદનાં બીજ પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે કેટલાક ખ્રિસ્તિ વૃદ્ધો ભાર મૂકીને કહેતા કે સખાવત કરવી એ દયાન નહિ પણ ન્યાયનું કામ છે, કારણ કે પૃથ્વી ઉપર સર્વને સમાન હક છે; અને બીજાનું ભલું કરવા માટે જ સમૃદ્ધિ સંચવાની છે; અને આ સિવાય બીજા કોઈ ઉદેશથી જે સમૃદ્ધિ રાખે તે બીજાના હક ઉપર તડાપ જા
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy