________________ તે વર્ગના ખાસ સદાચારોની કિંમત અંકાવા લાગી. સખાવતે વધી અને તેમની નિયમસર વ્યવસ્થા થવા લાગી. પરંતુ અમુક પ્રકારના દીવાના પણ પ્રત્યે ખ્રિસ્તિ સંસ્થા બહુ કઠોરતાથી વતી છે અને તેથી ડાકણમાં ખપી અનેક ડોશીઓના પ્રાણુ ગયા છે.. વળી સખાવતેમાં બહુ. વિવેક પણ રહેતો નહિ, તેથી સખાવતને ઉદેશ પણ બહુ ફળીભૂત થતા નહિ. તોપણ તેને લીધે લેકેમાં કાંઈક કમળતા આવી હતી. આ બધાં સુધારા કરવામાં ખ્રિસ્તિ સંસ્થાએ બે ઉપાયો કામે લગાડયા હતા. પ્રભુભોજનમાંથી બાતલ કરી ગુનેગારને ધાર્મિક શાસન એ કરતી હતી, અને બ્રિતિ ધર્મ જ્યારથી રાજ્ય–ધર્મ થયો ત્યારથી તે ધર્મના વલણને અનુસરી રાજ્યમાં કાયદા થવા લાગ્યા હતા. કન્સ્ટટાઇનના સમયથી ખ્રિસ્તિ ધર્મ રાજ્ય–ધર્મ થયો. પરંતુ તે પહેલાં ખ્રિસ્તિઓ ઉપર રાજ્ય તરફથી વખતે વખતે બહુ જુલમ થતો અને ત્રાસ વરતાતો. આના પરિણામમાં તપવૃત્તિ ઉભી થઈ અને ભયમાંથી બચી જવા લેકે જંગલમાં જવા લાગ્યા. ધીમે ધીમે તેઓ દેહને કષ્ટ દેવામાં અંદગીનું સાર્થક માનવા લાગ્યા. તેમાંથી સંત નીકળવા લાગ્યા, અને પછી સંત કથાઓ ચાલુ થઈ. આમાંથી સંત જીવનનું દૃષ્ટિબિંદુ ઉભું થયું. આ તપોવૃત્તિના પ્રચારમાંથી પરિણામ નીપજી આવ્યાં. જ્ઞાન પ્રત્યે અણગમે થયે. મનુષ્યની પ્રકૃતિમાંજ રહેલા વિકારના તત્ત્વને કેવળ દબાવી ત્રતા સદાચારના ક્રમમાં અગ્રસ્થાને આવી. તેથી થયું એમ કે ધર્મ વિષાદમય રૂપ પકડવા માંડયું, અને મનુષ્ય જીવનમાં ખુશ મીજાજ અને આનંદ રહ્યાં નહિ. પરંતુ નોતિ પરત્વે ઈચ્છા સ્વાતંત્ર્યને સાક્ષાત્કાર વધારે સ્પષ્ટ પણ એ વાતને ઉત્તેજન આપતા હતા. વળી નાગરિક સદાચાર અસ્ત થવા લાગ્યા તેથી પ્રજાકીય કે સામાજીક ચંચળતાનો લેપ થયો; સ્વદેશાભિમાન નષ્ટ થવા લાગ્યું અને તેથી રૂમી રાજ્યની પડતી ત્વરિત બની.