________________ વિધર્મી મહારાજ્ય. . 155 - યતા, જાહેર હિમામખાના, સાર્વજનિક રમત, ઇત્યાદિ કારણોને લીધે ગરીબ લેકે બહાર ભટક્યા કરતા. સામાન્ય રીતે લેકને આળસ, રમત ગમત અને પેટ પૂરતું ખાવાનું માત્ર જોઈતું હતું. તવંગર લેકમાં ગર્ભપાતની રસમ ચાલુ થઈ; અને બાળ હત્યા અને છોકરાને રઝળતાં મૂકવાને ચાલ વધી પડ્યો. તેથી વસ્તી ઘણી ઘટી ગઈ. આ સઘળાનું પરિણામ એ આવ્યું કે રોમન લેકમાં સ્વદેશાભિમાનનું નામ પણ ન રહ્યું, અને સાર્વજનિક જુસ્સો અને નીતિ નાશ પામ્યાં. પ્રજાનું ચારિત્ર્ય ઉતરી ગયું તે ઉતરી જ. ગયું; કદિ પાછું ઠેકાણે આવ્યું નહિ. રામન લેકેએ જ રેમ લુટયાની સાક્ષી ઇતિહાસ પૂરે છે. અને તેમની આ અધમતા કાયમ રહી. અર્વાચીન સમયના રેમન લેકે પણ માત્ર પેટ પૂરતું ખાવાનું અને રમતગમત માગે છે, સિવાય બીજી કોઈ અભિલાષા તેમને હાલ પણ હોતી નથી. વળી રેમનું રાજ્ય સાર્વભૌમ અને નિષ્ઠટક હોવાથી બીજું કઈ સ્વતંત્ર રાજ્ય પણ રહ્યું નહિ કે જેના દષ્ટાંતથી રેમ પાછું નીતિમાં ટટ્ટાર થઈ જાય. હાલના સમયમાં સ્વતંત્ર રાજ્ય જોડાજોડ હોવાથી યુરોપમાં સ્વદેશાભિમાન અને સ્વતંત્રતા એક પ્રજામાં નષ્ટ થાય તે બીજીમાં રહે છે. પરંતુ પરસ્પર થતી આ અસરનો લાભ પણ રોમને મળી શક્યો નહિ. વળી ખેતી અને સીપાઈગીરીના ધંધા પ્રથમથી જ રેમન લેકમાં આબરૂદાર ગણાતા હતા. ખેતીને લીધે લેકે મેહેનતુ, સદાચારી અને સાદા રહે છે, અને એક જાતની ધર્મભાવના તેમનામાં આવે છે. તેથી પ્રાંતના ખેડૂતોને ઉંચી સ્થિતિએ લાવવા વેસ્પેશિયને ઘણું સુધારા કર્યા હતા. દૂરના પ્રાતમાં રાજ્યની પદ્ધતિ સારી હતી એમ જણાય છે. શહેનશાહની દેખ-- રેખથી પ્રાંતના હાકેમે લૂંટણઆ થતા મટી ગયા હતા. તેથી તે પ્રાંતમાં ખેતીવાડી આબાદ સ્થિતિમાં હતી. પણ ખુદ ઈટાલીમાં લોકોની રહેણીકરણ અને રીતભાતથી ખેતીને પણ અસ્ત થઈ ગયો. ખેડૂતો દેણદાર થઈ ગયા, અને દેણુમાંથી નીકળવાની શક્તિ તેમનામાં રહી નહિ. ગુલામેને લીધે તાલેવંતને ખેતી કરવાનું સુગમ પડતું અને તેથી ઈટલીની ઘણીખરી ખેડવાઈ જમીન તેમના હાથમાં ગઈ. આમ ખેડૂતની જમીન તે ગઈ, પણ ગુલામ