________________ 128 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. w annnnnn maMAANAAAAA સમાઈ આવ્યાં. વળી સ્ટ્રાઈક મતમાં કુદરતને અનુરૂપ જીવન જ સદ્દવર્તન છે. હવે આપણી કુદરત કિવા સ્વભાવ મિશ્ર વસ્તુ છે અને તેમાં વિકાર અને વિવેક બન્નેનાં અસ્તિત્વ છે; અને તેમના ભિન્ન ભિન્ન ક્રમાગત સદાચાર આપણમાં હોઈ શકે છે એ વાત વિવેકબુદ્ધિ જ આપણને સ્પષ્ટ કહે છે. તેથી વિકારના તત્વની અવગણના કરવામાં સ્ટઈક નીતિવેત્તાઓ પિતાને જ મત તજી દે છે. એકદેશી સિદ્ધાંતથી ક્યાંઈ સારું પરિણામ આવ્યું નથી. સ્ટીક સિદ્ધાંતમાં પરોપકાર છતાં આચરણમાં તે આવી શકે નહિ, કારણ કે હૃદયના જે ભાવમાંથી એ નીપજી આવે છે તેને તે કેવળ દાબી દેવાનું એ કહે છે; સઘળા સદાચાર સરખા છે અને સઘળા દુરાચાર પણ સરખા છે ઇત્યાદિ લેકમતથી વિરૂદ્ધ અનેક વાતે તેને કહેવી પડી; અને આચરણમાં કૃત્રિમતા અને દંભ આવવા લાગ્યાં. વહાલું સગું ગુજરી જતાં માણચને શોચ થે સ્વાભાવિક છે, પણ એંઈક મત તેની પરવાનગી આપતો નથી. માત્ર એક જ વાત ધ્યાનમાં રાખતાં અને જન–સ્વભાવની એક જ બાજુ કેળવતાં, તેમનાં મન અને વિચાર સાંકડાં થઈ ગયાં. માત્ર સદાચારને શોધી તેની જ પાછળ ભમ્યા કરવું એ તેમને સિદ્ધાંત હોવાથી ઘણું ખરા ઓંઈકોએ સૃષ્ટિ-વિજ્ઞાન શાસ્ત્ર તરફ દુર્લક્ષ દાખવ્યું છે. - ઈક મત અવશ્ય કરીને પશ્ચાદશ હતો અને વિતેલા યુગની સાદાઈ પુનઃ પ્રાપ્ત કરાવવાને મિથ્યા પ્રયાસ કરતા હતા. વળી તે મતમાં છે કે શ્રેષ્ઠ અને મહાન પુરૂષે ઘણા થયા છે, તથાપિ મેટે ભાગે સ્ટેઈકે સામાન્ય લેકે કરતાં પણ નીતિમાં એકંદરે ઉતરતા હતા, કારણ કે તે મતમાં જેટલું કહેવાતું તેટલું આચરણમાં આવી શકતું નહિ; મેટે કે પિતાના ગુલામ ઉપર જુલમ બહુ ગુજાર. બ્રુટસ વ્યાજખાઉ અને પરાણે પૈસા કઢાવનાર હતા. પૈસા કઢાવવા સેલેમિસના કેટલાએક રહેવાસીઓને એણે ભુખે મારી નાખ્યા હતા. સેનિક ખુશામતી અને લોભી હત; ઈત્યાદિ અનેક દાખલા મળી આવે છે. વળી સઘળાને “ડાહ્યા” ફિલસુફ બનાવવા એ સ્ટઈક મતને ઉત્કટ