________________ વિધમાં મહારાજ્ય. 127 બુદ્ધિના વિરોધી હોવાથી તેમને જડમૂળથી નાશ જ કરે જઈએ. ખ્રિસ્તિના અને વિધર્મીઓના સદાચાર સરખાવતાં આપણને માલમ પડે છે કે જે સદાચારમાં ઈચ્છાશક્તિની દઢતા અને વિવેક વધારે હોય તે વિધર્મીઓમાં વધારે ઉત્તમ ગણાતા; જેમાં હદયને ભાવ વધારે હોય તે ખ્રિસ્તિઓમાં વધારે ઉત્તમ ગણતા. પ્રેમ નહિ પણ મૈત્રી, ઉદાર બુદ્ધિ નહિ પણ આતિથ્ય, કોમળતા નહિ પણ મેટું મન, અને દયા નહિ પણ રહેમીયતએ પ્રાચીન સદ્દવર્તનનાં ચિહ્ન હતાં. મનેવિકારને કેવળ કચરી નાંખવાનો સ્ટઇકને સિદ્ધાંત આપણુ પરોપકાર વૃત્તિને અન્યાય આપે છે, કારણ કે તેથી દયા જેવા સદ્દગુણેને સદાચાર રહેતું નથી, પરંતુ વિવેકી અને વિકારરહિત લેકે પકારની જબરી તરફેણ કરી તેને અંગે એ વાળી આપે છે. ૩ાર રસ્તાનામ્ તુ વસુધૈવ કુટુંમ્' એ તેનું પ્રબળ સૂત્ર હતું. તેથી તે મતને ખાસ ઉપદેશ હતો કે દરેક માણસે દઢરીતે એમ સમજવું જોઈએ કે બીજાના ભલા માટે જ તેને મનુષ્ય જીવન મળ્યું છે. ગુના ઉપર પણ દયા રાખવાનું તે મતવાળા કહેતા, કારણકે લેટની પેઠે તેઓ પણ એમ માનતા કે ગુને માત્ર અજ્ઞાનતાનું જ પરિણામ છે. માટે ગુને અટકાવવા પૂરતી જ સજા થવી જોઈએ. પરંતુ આ બધી વાત તેમના સિદ્ધાંતમાં જ રહેતી. આપણું સ્વભાવમાં રહેલી હૃદય-ભાવનાઓની સામે વિગ્રહ માંડી બેઠેલો મત તેમાંથી નીપજતા ખરાબ પરિણામને અટકાવી શક્યો નહિ; તેથી વ્યાવહારિક વર્તનમાં તે એ મત એક જાતનું ભવ્ય આત્માભિમાન જ રહ્યો હતો. ‘તમારે દીકરો મરી ગયો’ એમ જ્યારે એને લાગોરાસને કોઈએ કહ્યું, ત્યારે " અમર પુરૂષના જન્મમાં હું કારણભૂત હતું એમ મેં કદિ માન્યું નહોતું એટલે જ ઉત્તર એણે આપ્યો હતો. આમ સિદ્ધાંતમાં રહેલા પરોપકારને વર્તનમાં મૂકાવે એવું કોઈ તત્વ તે મતમાં નહોતું. દુઃખ અને રોગને સંકટ માનવાની જે માણસો ના પાડે તે બીજાનાં દુઃખ અને રેગ મટાડવાનાં ઉત્સાહી કવચિત જ હોઈ શકે છે. સંસારના રાગદ્વેષ કે સુખ દુઃખથી ડાહ્યા માણસના ચિત્તમાં જરીએ ક્ષોભ થ ન જોઈએ એ તેઓને પરમ દષ્ટિબિંદુ હતું. આથી કરીને તેમના ચારિત્ર્યમાં સંગ-દિલતા અને