________________ આચરણને સ્વભાવ સિદ્ધ ઇતિહાસ. 83 સિદ્ધાંતને ગાઢ સંબંધ છે. જ્ઞાનની ઉત્પત્તિના સિદ્ધાંત પરત્વે જે કંઈ પણ વાતથી માન્યતામાં કોઈપણ ફેરફાર થાય તો તેટલે અંશે નીતિના સિદ્ધાંતમાં પણ ફેરફાર થયા વિના રહેતું નથી. પ્રાચીન અને અર્વાચીન સમયના મહાન વિચારના ક્રમમાં પણ સામ્ય છતાં ભેદ છે. પ્રાચીન સમયમાં, ઉપયોગિતાને નામે વિત્પત્તિના વિલક્ષણ વિચારમાંથી લોકોની બુદ્ધિને સોક્રેટિસે મનુષ્યના નૈતિક સ્વભાવના અભ્યાસ પ્રત્યે વાળી હતી. અર્વાચીન સમયમાં, એ જ ઉપયોગિતાને નામે મધ્ય સમયના નૈયાયિકના નિરર્થક તાત્ત્વિક વાદવિવાદમાંથી બેકને લોકોની પ્રવૃત્તિને સૃષ્ટિના પદાર્થોનું શાસ્ત્રીય શોધન કરવાની દિશામાં વાળી છે. અને બેકનની પિતાની ચોક્કસ પદ્ધતિ અને નવાં શોધેલાં યંત્રો અને સાહિત્યને લીધે, તેમજ બુદ્ધિમાન મનુષ્યોની બુદ્ધિને લીધે એ દિશામાં ઘણું પ્રોત્સાહન મળ્યું છે. અને અર્વાચીન પ્રજાઓમાં ઇકિય વિજ્ઞાન વાદને પ્રસાર આ ચળવચળને લીધે વધારે થાય છે અને એને લીધે જ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસની વચ્ચે કેટલાક અતિ અગત્યના ભેદ ઉપજી આવ્યા છે. પ્રાચીન સમયમાં તત્વજ્ઞાનના વિચાર અમુક મર્યાદામાં ફર્યા કર્યા છે; અર્વાચીન સમયમાં નવી નવી શાસ્ત્રીય શેધો કરવામાં માણસ પ્રવૃત્ત રહે છે. પ્રાચીન લેકે એમ માનતા કે પ્રજાની સત્તા અને ઘણે વખતે તે પ્રજાની સ્વતંત્રતા પણ જાળવી રાખવા માટે માનસિક અને નૈતિક ગુણોનું સતત, પ્રેત્સાહન રહેવું જોઈએ. તેથી જ્યારે કોઈ પ્રજાનું શૈર્ય અથવા બુદ્ધિ મંદ પડી જતાં, ત્યારે બીજા રાજ્યોને અમલ તેના ઉપર જામતે અને પાછા એને એ જ ઈતિહાસ દશ્ય થતો. બેશક, કોઈ મહાન પ્રજા કારીગરી અને સાહિત્યના અનુપમ નમુના પાછળ મૂકી જતી, ઉંચી પ્રતિનું તત્ત્વજ્ઞાન મૂકી જતી, શૈર્યને પ્રોત્સાહન આપે એવાં ચારિત્ર્યના દષ્ટાંત મુકી જતી, અને પ્રજાને વિનાશ અટકાવે એવી સૂચનાઓ પણ વખતે કરી જતી, પરંતુ એ બધાં મનની અમુક દશામાં જ ઉપયોગી થાય એવાં છે. પણ હાલના સમયની સુધરેલી પ્રજાની શ્રેષ્ઠતાને આધાર નવી નવી શોધખોળ ઉપર રહેલું છે, અને આ શોધખોળ એવી હોય છે કે જે એકવાર થઈ એટલે