________________ યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ કે સઘળું જ્ઞાન આપણને ઈદિયજન્ય અનુભવમાંથી જ થાય છે. આંતર વાદીઓ કહે છે કે જ્ઞાન ઉપજાવવામાં અમુક અંશે ચિદશકિતની સ્વતંત્ર સહાય પણ આવશ્યક છે. આ બીજો મત પટેની પૂર્વ અસ્તિત્વના સિધ્રાંતમાં દશ્ય થાય છે. કેટલાક વિચારે આપણું અંતઃકરણમાં એવા હોય છે કે જેમને ખુલાસે જનમ્યા પછી થતા અનુભવથી થઈ શકતો નથી, માટે તેમનું અસ્તિત્વ માણસમાં તેના જન્મની પૂર્વે હોવું જોઈએ, અને એટલા માટે પૂર્વ-અસ્તિત્વને સિદ્ધાંત યથાસ્થિત છે. સત્તરમા સૈકામાં સ્વભાવ-સિદ્ધ વિચારોને જે મત પ્રચલિત હતો તે આ સિદ્ધાંતને અન્ય પ્રકાર માત્ર હતો. પરંતુ લૌકના સમયમાં એ સિદ્ધાંત પર જે સમજણ હતી તે હવે લેપ પામી ગઈ છે અને હવે ઘણુંખરા તત્ત્વવેત્તાઓ એમ માને છે કે જેમ અમુક જાતની કળીમાંથી અમુક જાતનું ફુલ અવશ્ય ખીલવું જોઈએ, તેમ આપણામાં પણ કેટલીક શક્તિઓ એવી છે કે જે બાહ્ય સૃષ્ટિની સહાય વિના કેટલાક વિચારોને માત્ર પિતાના વિકાસથી જ મેળવી શકે એમ છે અને કેટલાક વિચારે અવશ્ય કરીને એમ એને મળવા જ જોઈએ; અને અર્વાચીન સમયમાં આ વાતને પ્રાણીઓનાં અંગ જ્ઞાનની પ્રબળતા અને વિસ્તારના નિરીક્ષણથી ટેકે મળે છે. અને કેન્ટ તે સ્પષ્ટ કહે છે કે આપણે દરેક જ્ઞાનમાં બે અંશ હોય છે; એક અંશ પૂર્વસિદ્ધ નિયમરૂપ હોય છે અને બીજો અંશ પશ્ચાત-સિદ્ધ અને તેનો વિષય હોય છે–તે નિયમના દષ્ટાંતરૂપ હોય છે. પરંતુ બાહ્ય અનુભવવાદીઓ આ વાત સ્વીકારતા નથી. મનની શક્તિઓ ક્રિયાકારક હોવાની તેઓ બનતાં સુધી ના કહે છે, અને બને તેટલું મહત્વ તેઓ બાહ્ય અનુભવને આપે છે. આંતરવાદીઓ કહે છે કે આપણામાં કેટલીક સ્વભાવ સિદ્ધ શક્તિઓ. રહેલી છે, જેનું પહેલેથી જ આપણને જ્ઞાન થાય છે એ સ્વીકાર અવશ્ય આપણે કરવું જ જોઈએ; નહિ તે જ્ઞાનની સંભવિતા જ રહેતી નથી. હવે તત્ત્વજ્ઞાનમાં જે ચિંતક ઇંદ્રિય-વિજ્ઞાનવાદી હોય છે તે નીતિમાં સ્વાર્થવાદી કે જનહિતવાદી હોય છે. પરંતુ આંતરવાદી નૈતિક શક્તિના અને સ્તિત્વને સ્વીકાર હમેશાં કરે છે. અર્થાત જ્ઞાનની પ્રક્રિયા જોડે નીતિના