________________ બહુજ થોડું મૂકી દેવામાં આવ્યું છે. ચેથા પ્રકરણમાં પણ ઘણે વિશેષ ભાગ લીધે છે. બાકીનાં પ્રકરણમાં વિસ્તારપૂર્વક સાર માત્ર લીધું છે. હવે નીતિના ઈતિહાસ લખનારે નીતિનું સ્વરૂપ પ્રથમ સમજાવવું જોઈએ; તેથી પ્રથમ પ્રકરણમાં પ્રચલિત સિદ્ધાંતની ચર્ચા ગ્રંથકારે કરી છે. નીતિનાં બધા સિદ્ધાંત બે મુખ્ય સિદ્ધાંતમાં કઈને કઈ રૂપે અંતર્ગત થઈ જાય છે. આ બે સિદ્ધાંત આંતર નીતિવાદ અને બાહ્ય નીતિવાદ છે. આ બે સિદ્ધાંતનું સ્વરૂપ કહી તેમની ચર્ચા એણે કરી છે. બાહ્યનીતિવાદમાં જનહિતવાદ તેના સમયમાં વધારે માન્ય ગણાતો હતો, અને લેકે તે પ્રત્યે આકર્ષાતા હતા. તેથી જનહિતવાદને સારી પેઠે છણ તેની અયથાર્થતા એણે સ્પષ્ટ કરી છે અને આંતરવાદ સ્વીકાર્યો છે. પરંતુ આંતરવાદ સ્વીકારતાં એક મુશ્કેલી આવે છે, અને તેને ખુલાસો કરવો જોઈએ. જે નૈતિક પ્રત્યક્ષ કિવા આચરણની સારાસારતાને વિવેક અને ભાન આપણને આંતર–સિદ્ધ હોય તો પછી તેમાં ફેરફાર થવાપણું કાંઈ રહેતું જ નથી; અને મનુષ્યના વર્તનમાં જે ફેરફાર થતા ન હોય તો પછી નીતિમાં “ઉન્નતિ, પ્રગતિ” એવા શબ્દો આપણે કેમ વાપરી શકીએ અને નીતિને ઈતિહાસ શી રીતે લખી શકીએ ? નીતિશાસ્ત્રકારોને આ મુશ્કેલી હવે રહી નથી. પરંતુ તે મુશ્કેલી લેકીના સમયના સંજોગોમાંથી ઉભી થતી હતી એ વાત પણ લક્ષમાં રાખવા જેવી છે. બેન્જામ અને મિલને જનહિતવાદ તે સમયે લેકેના મગજમાં ઘૂમી રહ્યો હતો, અને ઔદ્યોગિક કાળને તે બહુ અનુકૂળ આવે એ હતા. પરંતુ તે વાદના સિદ્ધાંતમાં અંતર્ગત રહેલી અસંગતતાને ખ્યાલ મનનશીલ વિચારકોને ક્યારને આવવા લાગ્યો હતે; અને આંતર નીતિવાદે તેથી કરીને પિતાનું ડોકું પુનઃ ઉચું કરવા માંડયું હતું. તથાપિ મારટિને અને મૂર જેવા લેખકે પિતાના લેખ હજી હવે લખવાના હતા. વિજ્ઞાન શાસ્ત્રની પીઠ ઉપર ચડી વિચરતે સ્પેન્સરનો ઉત્ક્રાંતિવાદ કોઈ નવીન અને મેહકરૂપે હજી હવે ઉપસ્થિત થવાને હતો. જર્મન ફિલ સુફીના ક્ષેત્રમાં કેન્ટ અને હેગલના સિદ્ધાંતોમાં અંતર્ગત રહેલા હાર્દને વિકસિત કરી યથાર્થ સ્વરૂપે બહાર લાવનાર બ્રાડલી, કે ઈત્યાદિ લેખકે