SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 280 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ધીમે ચા પણ ત્યાંની ખરાબ હવાને લીધે તે પણ અંગ્રેજોને છોડી દેવું પડયું. એમ છતાં સને 1633 માં અંગ્રેજોએ ફરીથી ત્યાં પિતાની વખાર સ્થાપી હતી. આવી રીતે ગમે તેમ કરી અહીં અંગ્રેજો રહેતા, પણ સને ૧૯૮૭માં કંપનીના હુકમાનુસાર એ વસાહત સદંતર કહાડી નાખવામાં આવ્યું. - કૃષ્ણ નદીના આ બંદરમાં અંગ્રેજોને નિભાવ થશે નહીં એમ જાણી કેપ્ટન હિપને એજ નદીને ઉત્તર તરે આવેલા મચ્છલિપટ્ટણ માં જઈ સને 1911 માં એક કાઠી ઘાલી. અહીં કાપડ પુષ્કળ મળે એમ હતું, અને અહીંથી અનેક બંદરો માટે નિરનિરાળા પ્રકાર માલ રવાના થતું હોવાથી વેપારના નિકાસ માટે સઘળી સગવડ હતી. ગેવળકેડાના હીરા અને માણેક તથા દેશના બીજા ભાગમાં તૈયાર થતાં સુંદર વસ્ત્રને પરદેશમાં મેટે ખપ થત હતો; તેમજ પૂર્વ તરફના બેટોમાંથી આવતું સોનું, રૂ, લેબાન વગેરે માલને મચ્છલિપણમાં ઉપાડ થતો. સને 1627 માં બટેવિઆના વેપારીઓએ ઈગ્લેંડમાં કંપનીને લખી જણાવ્યું હતું કે જો તમે દર સાલ પોણા સાત લાખ રૂપીઆ મચ્છલિપટ્ટણમાં રોકડ મેકલી તેનું કાપડ ખરીદી બટેવિઆમાં વેચો તે તેટલી પંછથી સાડાતેર લાખ જેટલો ભારે નફે થવાનો સંભવ છે.” સુરતમાં કેઠી ઘાલી અંગ્રેજોએ જેવી રીતે પોર્ટુગીઝને પશ્ચિમ કિનારાને વેપાર છીનવી લીધે હવે તે પ્રમાણે મચ્છલિપટ્ટણની અંગ્રેજ વખારને લીધે તેમને પૂર્વ કિનારા ઉપર સઘળો વેપાર દબાયો હતો. એમ છતાં આ અગત્યનું બંદર અંગ્રેજો પિતાના એકલાના કબજામાં રાખી શક્યાં નહીં, કારણ તેમને એ બંદર માટે વલંદાઓ સાથે ઘણી ચડસાચડસી થઈ હતી. સને 1613 માં કિનારાના મુલકના દેશી અધિકારી પાસેથી અંગ્રેજ વેપારીઓએ સુવર્ણ પત્ર ઉપર વેપાર કરવા પરવાને લખાવી લીધું હતું. સને 1619 ના એક લેખ ઉપરથી જણાય છે કે મચ્છલિપટ્ટણની કઠીને વ્યવહાર થોડા ખર્ચે ઘણું ઉત્તમ પ્રકારને ચાલતું હતું. ઘેડા જ સમયમાં વલંદાઓએ અંગ્રેજોને એટલા હેરાન કર્યા કે ત્યાંના કેટલાક અંગ્રેજ વેપારીઓ નાસી
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy