________________
કે અપવિત્ર, મજબૂત કે નબળી થયેલી ભાવનાના પ્રમાણમાં આપણું વન થાય છે.
સત્તામાં રહેલાં સારાં કે નઠારાં કર્મો તે આપણી ભાવનાના પ્રમાણમાં બહાર આવી આપણને સુખ કે દુઃખ આપે છે.
આ ઉપરથી આપણે સમજવાનુ` છે કે ધમાંથી જાગતા વેંત પરમાત્માનું નામ લેવા મંડી જવું અને મનરૂપી કારાવાસણમાં ખરાબ વિચારા રૂપી હલકા પદાર્થો ન ભરાવા પામે તે પહેલાં સારા વિચારરૂપી ઉત્તમ પદાથ ભરી દેવા. તેથી આપણા આખા દિવસ આનંદમાં ય અતે નુકશાન ન થાય.
?
પરમાત્માનું નામ લેવાથી પુણ્ય બંધાય છે અને
તેથી આપણે
સુખી થઈએ છીએ.
આ પરમાત્માનું નામ કેટલી વાર લેવુ. તેનેા કોઈ નિયમ નથી. લેવાય તેટલી વાર લેવું. જેમ વધારે વાર લઈએ તેમ વધારે ફાયદા થાય છે. કોઈ પાઠ વધારે વાર ધ્યાનપૂર્વક ગાખ્યા હાય કે કોઈ વાત ઘણી વાર યાદ કરી હોય તે। તે ઘણીવાર યાદ આવે છે. અથવા તરત યાદ આવે છે, તેમ જ ભગવાનનું નામ ઘણી વાર જ્યાનપૂર્વક એટલે કે ખીજા કોઈ ઠેકાણે મનને ન પરાવતાં કે ખીજી કઈ વાત યાદ ન કરતાં તેમાં જ મન લગાડીને લીધું. હાય તે। આખા દિવસ વ્યવહારના કામકાજ કરતાં હોઈએ તે પણ તે પવિત્ર નામ યાદ આવે છે. અને તે વધારે વાર યાદ આવતાં તે વધારે વાર આપણે ગણીએજપ કરીએ તા ફાયદા પણ વધારે થાય છે.
કુંભાર જેમ વાસણ બનાવવાનું ચક્કર વધારે જોરથી ફેરવે તેમ તે ચક્કર પેાતાની મેળે કેટલીક વાર સુધી કરે છે તેમ તમે જેટલી લાગણીથી અને જેટલી વાર પરમાત્માનું નામ લીધુ` હશે. તેટલી વાર પછી પણ વ્યવહારના કામમાં પણ તે યાદ આવ્યા કરશે. આ બાબતના મનમાં મજબૂત સંસ્કાર પાડવાથી માણસાના ઘણાં