________________
ઈંગ્લેડ મિસર પચાવી પાડે છે
૯૧૩
બ્રિટને મિસર ઉપર આ રીતે પોતાના અમલ ચલાવ્યો અને તેનું શાણુ કર્યું. તેના એજ અને પ્રતિનિધિ તેમની રેસીડન્સી 'એમાં ( તેમના વસવાટનાં ખાસ સ્થાનામાં) આપખુદ રાજાના જેવા દમામ તથા દબદબાથી રહેતા. સ્વાભાવિક રીતે જ મિસરમાં રાષ્ટ્રવાદને ઉદ્ય થયા અને સુધારાની ચળવળા શરૂ થઈ. જમાલુદ્દીન અફધાની ૧૯મી સદીના મિસરના સૌથી મહાન સુધારક હતા. તે ધાર્મિક નેતા હતા અને ઇસ્લામને પ્રચલિત પરિસ્થિતિ સાથે સુસંગત કરીને તેને આધુનિક સ્વરૂપ આપવાના તેણે પ્રયાસ કર્યાં. સ પ્રકારની પ્રગતિને ઇસ્લામ સાથે સુસંગત કરી શકાય છે એવા તેણે ઉપદેશ આપ્યા. ઇસ્લામને આધુનિક સ્વરૂપ આપવાને તેને પ્રયાસ તત્ત્વતઃ હિંદમાં હિંદુધર્મ તે આધુનિક સ્વરૂપ આપવાને કરવામાં આવેલા પ્રયાસાને મળતા હતા. કેટલાંક મૂળભૂત ધર્મતત્ત્તા ઉપર ફરી પાછા પહેાંચવું તથા પુરાણી રૂઢિઓ અને માન્યતાઓના નવા અર્ધાં કરવા તથા તેનું નવીન રહસ્ય બતાવવું આ બે વસ્તુ ઉપર ધર્મ સુધારાના આ પ્રયાસેાનુ મડાણ હતું. એ પ્રમાણે આધુનિક જ્ઞાન એ પ્રાચીન ધાર્મિ ક જ્ઞાનની એક પ્રકારની પરિપૂતિરૂપ કે તેના ઉપરના ભાષ્ય જેવું બની જાય છે. અલબત, વૈજ્ઞાનિક પદ્ધતિ આ પદ્ધતિથી સાવ નિરાળી છે. એ પદ્ધતિ નિર્ભયપણે આગળ વધે છે અને તે કાઈ પણ વસ્તુ આગળથી માની લઈ ને ચાલતી નથી. એ ગમે તેમ હે પરંતુ કેવળ મિસરમાં જ નહિ પણ અરખી સ ંસ્કૃતિવાળા ખીજા દેશમાં પણ જમાલુદ્દીનની ભારે અસર હતી. વિદેશા સાથેના વેપાર વધતા ગયા તેની સાથે મિસરમાં નવા મધ્યમ વ ઊભા થયા. એ વ નવા રાષ્ટ્રવાદના આધારરૂપ બની ગયા. મિસરના સૌથી મહાન આધુનિક નેતા ઝગલુંલ પાશા પણ આ જ વમાંથી આવ્યા હતા. મિસર એ પ્રધાનપણે મુસ્લિમ દેશ છે. પરંતુ ત્યાં આગળ કોપ્ટ લેાકાની પણ સારી સંખ્યા છે. એ લાકે ખ્રિસ્તી ધર્મ પાળે છે. આ કોપ્ટ લેાકેા પ્રાચીન મિસરવાસીઓના શુદ્ધમાં શુદ્ધ વશજો છે. આ નવા મધ્યમ વર્ગમાં મુસલમાને તથા કૅપ્ટ એ ખતેના સમાવેશ થતા હતા. અને સદ્ભાગ્યે તેમની વચ્ચે કશા વિખવાદ નહાતો. અંગ્રેજોએ તેમની વચ્ચે ઝધડે કરાવવા પ્રયત્ન કર્યાં પરંતુ તેમાં તેમને ઝાઝી સફળતા ન મળી. અંગ્રેજોએ રાષ્ટ્રીય પક્ષમાં ભાગલા પાડવાના પણ પ્રયત્ન કર્યાં. હિંદુસ્તાનની પેઠે ગણ્યાગાંઠ્યા નરમ વલણના આગેવાનાને સહકાર મેળવવામાં તેમને કેટલીક વાર સફળતા મળી હતી. પરંતુ એ વિષે વધુ હું હવે પછીના એકાદ પત્રમાં કહીશ.
૧૯૧૪ની સાલના આગસ્ટ માસમાં મહાયુદ્ધ શરૂ થયું ત્યારે મિસરની આ સ્થિતિ હતી. ત્રણ માસ પછી ઇંગ્લેંડ અને ફ્રાંસ તથા તેમનાં મિત્રરાજ્યાની સામે તુર્કી જમનીના પક્ષમાં ભળ્યું. આથી ઇંગ્લંડે ખરેખાત મિસરને ખાલસા કરવાના નિર્ણય કર્યાં. પરંતુ એમ કરવામાં કેટલીક મુશ્કેલી ઊભી થઈ એટલે