SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અલેકઝાંડર કિન્લોક ફાર્બસ સાહેબને છે. એમના નિઃસ્વાર્થ શ્રમથી દેશી ઠાકરે, રાજાઓ અને નામીચા સદગૃહસ્થ તરફથી સંસાઈટીને મદદ મળી. જે યોજનાઓથી સસાઈટી પિતાને હેતુ પાર પાડવાનું કામ કરે છે, તે યોજનાઓમાંની મુખ્ય નીચે પ્રમાણે છે(૧) ઉપયોગી અને મને રંજક પુસ્તકો ગુજરાતીમાં લખવા માટે લાયક વિદ્વાને કામે લગાડવા. (૨) સોસાઈટીએ પસંદ કરેલા વિષયે જણાવીને તે ઉપર ગ્રંથ લખનારને ઈનામ આપવાં. (૩) પ્રાચીન ઉપયોગી ગ્રંથોની લખેલી પ્રતે મેળવી તેમને સંગ્રહ કરે. (૪) એક માસિક પુસ્તક પ્રગટ કરવું. (૫) ગ્રંથકારનાં પુસ્તક ખરીદીને તેમને ઉત્તેજન આપવું. (૬) બની શકે તેટલી સસ્તી કીમતે ગુજરાતી પુસ્તક પ્રગટ કરવાં અને વેચવાં. (૭) વિદ્યાવૃદ્ધિના અને કેળવણીના કાર્યમાં મદદ કરવા માટે સ્થાપેલાં યાદગીરીનાં અને બીજાં કંડેની વ્યવસ્થા કરવાનું માથે લેવું. આમાં છેલ્લી જનાના સંબંધમાં સોસાઈટીનું ઉપયોગીપણું પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય છે. આવી એક સંસાઈટી ના હોય તે જે નાનાં નાનાં ભંડેળને વહિવટ થ અશક્ય થઈ પડે તેવાં ભંડળોને આ ચેંજનાથી ઉત્તેજન મળે છે. આવું કામ માથે લેવાનું થોડાજ વરસથી સાઈટીએ શરું કર્યું છે તે અરસામાં એકંદર રૂ. ૩૬,૦૦૦ ના ફડે સેસાઇટીના વહીવટમાં આવ્યાં છે. સઘળા પ્રકારની કેળવણુની અને વિશેષ કરીને ઉપયોગની અને આતની કેળવણીની વૃદ્ધિને માટે આપ નામદાર બહુ કાળજી રાખતા @ાઓ છે તેથી કરીને કમિટી એમ ધારે છે કે, વડોદરાના નામદાર ગાયકવાડ મહારાજની સાથે આપનું નામ આ મંડળીના પેટ્રન તરીકે જોડાવાથી સોસાઈટીને ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, અને કમિટી આશા રાખે છે કે આપ નામદારના ઉપરીપણાથી અને બીજી મદદથી એસાઈટો ઘણું બાદ થશે, તથા જે હેતુથી તેની સ્થાપના થઈ છે તે હેતુ પાર પાડવાને માટે હાલના કરતાં તે વધારે શકિતમાન થશે.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy