SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ . ૩૨ ચતુકલકીચાર શ્લોકમાં સ્વસિદ્ધાન્ત કર્તવ્ય શું તે. જણાવ્યું છે. ૩૩ પંચ પઢાની. એઓના પુસ્તકમાં વાંચ્યું છે કે શ્રી વલ્લભાચાર્યો પર ગ્રંથ રચ્યા છે પણ સંશોધન કરતાં આટલા પ્રાપ્ત થઈ શક્યા છે. વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી અથવા ગુસાંઈજીએ કેટલાક સંસ્કૃત ગ્રંથ બનાવ્યા છે તે આ પ્રમાણે જણાવે છે. ૧ વિઠન મંડન-એમાં અન્ય મતનું ખંડન કરી સ્વસિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. એમ કરતાં અન્ય મત સામે જે આક્ષેપ કર્યા છે તે બહુજ સ્વાથી તેમજ અઘટિત છે. ૨ વલ્લભાષ્ટક-શ્રી વલ્લભની સ્તુતિના આઠ કલાક એમાં છે. ૩ સ્વામન્યાષ્ટક-શીખરિણી છંદના ૮ કલેકમાં ગુપ્તરૂપ એવા સ્વામિનીજીના નખ શિખનું વર્ણન કરી શૃંગાર રસમય બનાવી સ્વામિનીજીનું વંદન કર્યું છે. (હવે આમાં જે કહ્યું છે તે અને વૈષ્ણવ જે માને છે હેમાં બહુ વિલણતા દેખાઈ છે. આમાં શ્રી ગુંસાઈજીએ સ્વામિનીજીની સ્તુતિ વંદન કર્યું એમ જણાવ્યું છે. પુરાણના બેટા અધ્યાય બનાવ્યા. તેમાં લખ્યું છે કે વરુ સ્થાનિપુણ્ય વિર પુત્તમ: વલ્લભાચાર્ય અગ્નિ રૂપ છે ને વીલનાથજી પુરૂષોત્તમ રૂ૫ છે. વલ્લભાખ્યાનમાં વૈષ્ણવોને જણાવ્યું છે કે પુજળ વહ્ય શ્રી રામન સુત પુત્તમ શ્રી વીનાથજી અર્થાત લક્ષ્મણના સૂત જે વલ્લભાચાર્યજી તે પૂર્ણ બ્રહ્મ છે ને વિઠ્ઠલનાથજી સાક્ષાત પુરૂષોત્તમ છે. હવે આમાં સત્ય શું ? વળી ગુંસાઈજી પોતે સ્વામિનીજીની સ્તુતિ કરે છે ને ભક્ત બને છે તે તો જુદુ. ૪ સ્વામિની સસ્તોત્ર–એમાં સ્વામિનીજીના વિહારનું વર્ણન છે ને હેની સ્તુતિ છે. ૫ કૃષ્ણ પ્રેમામૃત. એમાં ગોપી કુષ્ણને પરસ્પર પ્રેમ તથા હેની લીલાનું કેટલીક રીતનું વર્ણન છે.
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy