________________
૪૦૭ વિલ્બરફેર્સની પ્રેરણાથી થએલા ગુલામગીરીના કાયદા અનુસાર ઈ. સ. ૧૮૩૩માં સામ્રાજ્યમાં સર્વ ગુલામને મુક્તિ આપી. પણ એ વાત બેઅને ગમી નહિ. અલબત, કાયદા પ્રમાણે ગુલામને મુક્ત કરવાથી તેમને થતા નુકસાનને બદલે આપવામાં આવ્યું, છતાં તેમણે પિકાર ઉઠાવ્ય, કે એ બદલે પૂરે તૃતીયાંશ પણ નથી, અને આ તે અમારા પર અન્યાય થવા બેઠે છે. ઈ. સ. ૧૮૨૮માં થએલા કાયદા પ્રમાણે ત્યાંના પરદેશીઓને યુરેપી લેક જેટલા રાજકીય હક આપવામાં આવ્યા, તેથી કોપાયમાન થઈ ગએલા.
અને બળતામાં ઘીની આહુતિ આપવા જેવું લાગ્યું. અરે એમાં માનતા કે અમે ઉચ્ચ છીએ, માટે એ લુચ્ચા, ધાડપાડુ, હત્યારા જંગલીઓને અમારા સમાન ગણવામાં અંગ્રેજો અમારું અપમાન કરે છે.
અંગ્રેજોને હાથે આવું અપમાન સહી લેવા કરતાં પોતાનું સ્વતંત્ર સંસ્થાના સ્થાપવું, એવો નિશ્ચય કરી ઈ. સ. ૧૮૩૬માં અનેક બેઅરે પિતાનાં સ્ત્રીપુત્રાદિક, ઢોરઢાંખર, ગાડાં, બાઈબલ, અને બંદુકે લઈને સ્થળાંતર કરવા. લાગ્યા. આ પ્રમાણે અસલ વતન છોડી નવા દેશમાં પ્રયાણ કરવાનો બનાવ. ઇતિહાસમાં મહાન સ્થળાંતર”(The Great Trek)ના નામથી મશહુર. છે. તેઓ ઉત્તરમાં પ્રસર્યા. તેમાંના કેટલાક પર્વત ઓળંગી નાતાલમાં ઉતર્યા, અને કેટલાક એરેન્જ અને વાલ નદી વચ્ચેના પ્રદેશમાં જઈ વસ્યા. બીજા કેટલાક વાલની પેલે પાર જઈ પહોંચ્યા. આ સંસ્થાનને “ટ્રાન્સવાલ” નામ: આપવામાં આવ્યું. ઈ. સ. ૧૮૪૩માં નાતાલ બ્રિટિશ સામ્રાજ્યમાં જેડી: દેવામાં આવ્યું, અને બાકીનાં બેની સ્વતંત્રતા સ્વીકારવામાં આવી. અંગ્રેજો તેમની રાજ્યવ્યવસ્થામાં હાથ ઘાલશે નહિ એમ બેઅરે ધારતા હતા; કદાચ એમની ધારણા ખરી પડી હોત, પણ એક નવી પરિસ્થિતિ ઉત્પન્ન થતાં. અંગ્રેજોને પોતાની નીતિ બદલવી પડી.
દરમિઆન અનેક નવા અંગ્રેજ કેપ કેલેનમાં વસવા આવ્યા, અને છેક એરેન્જ નદી સુધી પ્રસરી ગયા. બીજી બાજુએ એરેન્જ ફી સ્ટેટની પૂર્વે વસતા કુલુ નામે સાહસિક જાતિના યોદ્ધાઓ જોડે બે અને વારંવાર યુદ્ધ કરવાના અને તેમને ત્રાસ વેઠવાના પ્રસંગો આવતા. સર્વ સંગને વિચાર કરી અંગ્રેજ સરકારે ટ્રાન્સવાલ ખાલસા કર્યું, ઈ. સ. ૧૮૭૭. હવે