________________
3.93
પક્ષકારાએ તેમાં પ્રવેશ કરવા નહિ. જર્મનીએ આ તહનામાને “કાગળનું ચીથ” કહીને તિરસ્કારી નાખ્યું. જો કે આસ્ટ્રિ અને સર્વિઆના ટંટાના નિર્ણય હેગની ન્યાયસભા પાસે કરાવવાની સૂચના ઈંગ્લેન્ડના પરરાજ્ય ખાતાના પ્રધાન સર એડવર્ડ ગ્રેએ કરી હતી, પણ તે સ્વીકારવામાં આવી ન હતી. તેમાં વળી જર્મનીએ એલ્જીયમની તટસ્થતાનેા તિરસ્કારપૂર્વક ભંગ કયેર્યાં, એટલે તેા તે નાના રાજ્યના સંરક્ષણને અર્થે ઈંગ્લેન્ડ જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું, ૪થી ઓગસ્ટ ૧૯૧૪. પાર્લમેન્ટે યુદ્ધને યશસ્વી અંત લાવવા માટી રકમ મંજુર કરી. લાર્ડ કિચનરને યુદ્ધખાતાને સેક્રેટરી નીમવામાં આવ્યા, અને જેલિકા નામે નૌસેનાની પર નૌકાસૈન્યની વ્યવસ્થાના ખાજો નાખવામાં આવ્યે.
આ પ્રમાણે જર્મની અને આસ્ટ્રિમનાં રાજ્યોને પરાભવ કરવા માટે સર્વિ, રશિઆ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, બેલ્જીયમ વગેરે રાજ્યા ઉદ્યુક્ત થયાં. પાછળથી બંને પક્ષમાં તુર્કસ્તાન, અમેરિકા, ઈટલી, બલ્ગેરિઆ, અને ન્નપાન ભળતાં જગતભરમાં આ દારુણ રણસંગ્રામને દાવાનળ પ્રજળી ઊઠયા. રિણામે જ્યાં જ્યાં શત્રુમિત્રાને ભેટા થયા, ત્યાં ત્યાં યુદ્ધ થવા લાગ્યાં. ફ્રાન્સની ઉત્તર સીમા પાસે જર્મને સામે અંગ્રેજ અને ફ્રેન્ચ સૈન્યે લડતાં હતાં, રશિઆની પશ્ચિમ સરહદ ઉપર જર્મન વિરુદ્ધ રશિઅનેાને જંગ મચ્યા હતા, આસ્ટ્રિની દક્ષિણ અને પૂર્વ સીમાએ સર્વિઆ અને ઈટલીનાં સૈન્યેા આસ્ટ્રિઅન સિપાઈ ઓ જોડે ઝપાઝપી ચલાવી રહ્યાં હતાં, અને મેસોપોટેમિઆ, મિસર, તથા ડાર્ડેનલ્સમાં અંગ્રેજ અને તુર્ક સૈન્યને ભેટા થયા કરતે હતો. ઉત્તર સમુદ્રમાં અંગ્રેજ અને જર્મન નૌકાસૈન્ય વચ્ચે ચકમક ઝરી રહી હતી, અને દક્ષિણ આફ્રિકામાં આવેલાં જર્મન સંસ્થાને કબજે કરી લેવા માટે અંગ્રેજ અને હિંદી સૈન્યા પ્રયત્ન કરતાં હતાં.
પશ્ચિમ રણાંગણ: લીજ, નામૂર અને એન્ટપર્વ ઇત્યાદિ કિલ્લા સર કરતી જંગી જર્મન સેના ફ્રાન્સ તરફ જળધોધની પેઠે ધપવા લાગી. મેાન્સ પાસે અંગ્રેજ અને ફ્રેન્ચ સેનાઓને પરાભવ કરી તેણે સમગ્ર એલ્જીયમને હસ્તગત કરી લીધું. વિજયાનંદમાં મસ્ત થએલા જર્મને પેરિસથી પચાસ માઈલ દૂર આવી પહોંચ્યા, એટલે ફ્રેન્ચ સરકાર ભય પામીને પેરિસ એડી ખાડૅ બંદરમાં ભરાઈ. પરંતુ પ્રસિદ્ધિ પામેલા અનેક હિંદી વીરાના પરાક્રમથી