________________
૩૨૫
કાયદા કરવામાં આવ્યું. હિંદના વાયવ્ય કોણમાં ‘શાસ્ત્રીય સીમા’સેધવાના પ્રયત્નમાં કંપનિ સરકારને અફધાનિસ્તાન જોડે બે વાર દારુણ યુદ્ધ થયું, જેના પરિણામે દેશને ખર્ચના ખાડામાં ઉતરવું પડ્યું.
રશિઆના જે ભયથી પ્રેરાઈ ને તેણે અફઘાને જોડે યુદ્ધ કર્યા હતાં, તેજ ભયને લીધે તેને યુરાપમાં રશિઆ જોડે લડવાનેા પ્રસંગ આવ્યા. ઝંગાવિનિઆ અને ખેાસ્નીઆ પ્રાંતના ખ્રિસ્તીએએ તુર્કાના જાલીમ ત્રાસથી છંછેડાઈ તે બળવા કર્યાં, ઇ. સ. ૧૮૭૫-૭૬. તુર્ક અમલદારાએ અને સૈન્યે ચાડી ઘણી કતલ કરી હશે, પણ રશિઆને ફરી પાછા તુર્કસ્તાનમાં વચ્ચે પડવાના લાગ મળ્યા. તેણે તે। સૈન્ય મેાકલ્યું; બહાદુર અને જવાંમર્દ તુર્કા આ પ્રદેશીએ જોડે માથું મૂકીને લડયા, પણ તેમના દુર્ભાગ્યે જોર કર્યું; રશિઅન સિપાઈ એ તે છુટા થએલા જળધેાધની પેઠે કેાન્સ્ટન્ટનેાપલ તરફ દોડયા. આથી તુર્કસ્તાનના મામલા પ્રત્યે દૃષ્ટિ નાખી બેઠેલા ડિઝરાયેલી ચમકયા, અને રશિઆને અટકાવી તુર્કસ્તાનને સહાય આપવા તૈયાર થયા. તેણે એક કાટ્લે ડાર્ડેનલ્સમાં મોકલી દીધા. યુદ્ધ થયું નહિ, અને સેન્ટ સ્ટેફેનેાની સંધિ થઈ; સાથે સાથે રશિઆ આ સંધિને અસ્વીકાર કરે, તા ડિઝરાયેલીએ યુદ્ધ કરવાની ધમકી આપી, અને હિંથી સૈન્ય ખેાલાવી માલ્ટામાં લાવી રાખ્યું. આથી રશિઆ ભય પામી ગયું. વળી ઇ. સ. ૧૮૭૮માં બર્લિનમાં સર્વ રાજ્યાની પરિષદે નવી સંધિ કરી. તેમાં રૂમાનિઆ, સર્વિઞ, અને મેન્ટીનીગ્રેાને સ્વતંત્ર થવાની સત્તા આપી, હર્ઝેગાવિનિઆ અને બેહસ્તીઆ આસ્ટ્રિઆના તાબામાં મૂકવાં, રશિઆને એશિઆ માઈનરમાં એક બંદર અને કિલ્લો આપવામાં આવ્યાં, બલ્ગેરિઆનું નવું રાજ્ય સ્થપાયું, અને ગ્રેટબ્રિટનને સાઈપ્રસ મળ્યા. આ સંધિને ‘ પ્રતિષ્ઠિત ' વિશેષણ લગાડવામાં આવે છે, છતાં રશિઆનું ધાર્યું થયું અને તુર્કસ્તાનનું રાજ્ય તે વહેંચાઈ ને ક્ષીણ થઈ ગયું, એટલે વિશેષણુ માત્ર ઔપચારિક ગણાયું. આ ઉપરાંત ઝુલુ લાકા જોડે પણ એક યુદ્ધ કરવામાં આવ્યું હતું. આખરે મહામંત્રીની યુદ્ધપ્રિયતા પ્રજામાં અણગમતી થઈ પડી.
ગ્લેડસ્ટન મીજી વાર પ્રધાનપદેઃ ઇ. સ. ૧૮૮૦માં ગ્લેડસ્ટન ખીજી વાર પ્રધાનપદે આવ્યા. જો કે વિગ્રહથી દૂર રહી કરકસર કરી દેશમાં પ્રગતિ