________________
૫૪
અંગ્રેજો અને ફ્રેન્ચા વચ્ચે સંબંધઃ સસવાર્ષિક વિગ્રહ સમજતા પહેલાં અંગ્રેજો અને ફ્રેન્ચા વચ્ચેના સંબંધ સ્પષ્ટ રીતે તપાસવાની જરૂર છે. અંગ્રેજ વેપારીઓની એક મંડળીએ હિંદુસ્તાનમાં મુંબઈ, મદ્રાસ, અને કલકત્તામાં ચાણાં નાખી વેપાર કરવા માંડયા હતા. ઉપરાંત ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિઆ કંપનિએ મલબાર કિનારે માહી, હુગલી નદીને કિનારે ચંદ્રનગર, અને પૂર્વ કિનારે પોંડીચેરીમાં પેાતાની કાઠીએ નાખી હતી. સ્વાભાવિક રીતે બંને વેપારી મંડળીએ વચ્ચે ઈર્ષા ચાલવા માંડી. તેમાં ધીમે ધીમે ફ્રેન્ચાની રાજ્યતૃષ્ણા સચેત થઈ, અને ભારતવર્ષના કમઅલ રાજાઓના પરસ્પર તેજદ્વેષને લાભ લેવાની દુપ્લેને પ્રેરણા થઈ. ઇ. સ. ૧૭૦૭માં ઔરંગઝેબના મરણુ પછી દક્ષિણનાં નાનાં રાજ્ગ્યાના નવાખે। સ્વતંત્ર થઈ ગયા, એટલે દુપ્લેની આડે આવનાર કાઈ પ્રબળ સત્તા ન હતી. તેણે મદ્રાસ જીતી લીધું, પણ એ-લા—શાપેલની સંધિથી અંગ્રેજોને તે પાછું મળ્યું. આ સંધિ એટલે માત્ર યુદ્ધવિરામ હતા. સંધિ થયા છતાં હિંદુ અને અમેરિકામાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના સંબંધ બગડતા ગયા.
હિંદમાં અંગ્રેજોને મદ્રાસ પાછું મળ્યું, પણ દુપ્લેની પ્રતિષ્ઠા વધી, અને બધા રાજાએ તેની મૈત્રી સાધવા આતુર થયા. દરમિઆન કર્ણાટકની ગાદીને માટે એ દાવાદારો ઉભા થયા; એક મરનાર નવાબને પુત્ર, અને બીજો તેને જમાઈ. દુપ્લેએ નવાબના જમાઈને સહાય આપી, એટલે અંગ્રેજોએ નવાબના પુત્રને પક્ષ લીધો. એવામાં રાબર્ટ કલાઈ વે ૫૦૦ સિપાઈઓના નાના સૈન્ય સાથે આર્કાટ ઉપર છાપા મારી તે સર કરી લીધું, ઇ. સ. ૧૭૫૧. પરિણામે ત્રિચિનાપલ્લીને ઘેરી બેઠેલા ફ્રેન્ચ સૈન્યને ખસવું પડયું. જો કે દુપ્લેએ તનતાડ પ્રયત્ન કર્યા, છતાં આર્કીટ અંગ્રેજો પાસે રહ્યું. દરમિઆન દુપ્લેને ફ્રાન્સ ખેલાવી લેવામાં આવ્યા, એટલે હિંદમાં સામ્રાજ્ય સ્થાપવાના તેના મનેરથાને દયામણો અંત આવ્યેા.
ઉત્તર અમેરિકામાં અંગ્રેજોએ આટલાંટિક મહાસાગરના કિનારા ઉપર ૧૩ સંસ્થાને વસાવ્યાં હતાં, અને ફ્રેન્ચે કેનેડામાં વસતા હતા. ત્યારપછી ફ્રેન્ચ પ્રવાસીઓએ મિસિસિપી નદીની શોધ કરી, એટલે તેના મુખ પાસે લુઈ ૧૪માના સ્મરણ અર્થે ‘ લુઈઝાના ’ સંસ્થાન સ્થાપવામાં આવ્યું. અંગ્રેજોને