________________
ર
કેટલાક મંત્રીઓએ પેાતાનાં ખીસ્સાં તર કર્યાં છે. હવે લાદેશના ક્રોધને સીમા ન રહી. મંત્રીએ ઉપર આક્ષેપ આવ્યા, અને મંડળીના ધૂર્ત વ્યવસ્થાપકોને સજા કરવાની માગણી થઈ. દરમિઆન એક મંત્રીએ આત્મધાત ર્યાં, સ્ટેનહાપનું મૃત્યુ થયું, અને અંડરલેન્ડની તપાસ થઈ. પછી વાષ્પાલ અને ટાઉનશેન્ડ મંત્રીમંડળમાં આવ્યા. વા`ાલે ભયંકર પાયમાલીમાંથી માર્ગ કાઢવાના પ્રયત્ન કર્યો. તેણે ઈસ્ટ ઇન્ડિઆ કંપનિ અને ઈંગ્લેન્ડની બૅન્ક વચ્ચે નુકસાની વહેંચી નાખી, અને વ્યવસ્થાપકાની માલમતા હરરાજ કરીઃ છતાં આર્થિક આધાતમાંથી કળ વળતાં કેટલાક કાળ ગયા.
દેશાંતર નીતિઃ જિંગ પક્ષમાં ફૂટ પડવાનાં કારણામાં સ્ટેનહેાપની આંતર નીતિ કે આર્થિક નીતિ ઉપરાંત દેશાંતર નીતિ પણ આવી જાય છે. તે માનતા હતા કે ઈંગ્લેન્ડની ગાદીએ પ્રોટેસ્ટન્ટ રાજા રાખવા હાય, તા યુરેાપની રાજખટપટમાં ઈંગ્લેન્ડે જોસભેર પડવું જોઇએ. વાલ્પાલ અને તેના સાથીએ માનતા હતા, કે વ્યાપારઉદ્યોગના સંરક્ષણની ખાતર ઈંગ્લેન્ડે બનતા સુધી અવિગ્રહનીતિ સ્વીકારવી જોઈ એ. સ્ટેનહેાપે ફ્રાન્સ જોડે કરેલી સિંધને લીધે ટાઉનશેન્ડ અને વાÒાલ મંત્રીમંડળમાંથી છુટા પડી ગયા. સ્પેનના રાજાને યૂટ્રેકટની સંધિને ભંગ કરીને નેપલ્સ અને સિસિલીને મુલક પાછો જોઈતા હતા, એટલે તેણે હેનેાવરના શત્રુ સ્વીડન જોડે મૈત્રી કરી. ફ્રાન્સને બાળરાજા લુઈ ૧૫મા અપુત્ર મરણ પામે, તેા સ્પેનના રાજાને ફ્રાન્સની માદી ઉપર હક થતા હતા. આલિયન્સને ફ્રાન્સની ગાદી પેાતાના વંશમાં આવે એવી ઇચ્છા હતી, એટલે સ્પેનના રાજાને યૂટ્રેકટની સંધિનું અક્ષરશઃ પાલન કરાવવાની જરૂરિઆત ઉભી થતાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા શત્રુએ વચ્ચે મૈત્રી થઇ. તેમાં હાલેન્ડ ભળ્યું, એટલે તે ‘ત્રિરાજ્ય સંધિ’ કહેવાઈ; પાછળથી આસ્ટ્રિ ભળ્યું, એટલે તે ‘ચતુરાજ્ય સંધિ’ થઈ.
ફિલિપે ઇ. સ. ૧૭૧૭માં સિસિલી ઉપર હલ્લા કર્યાં, એટલે નૌકાસેનાપતિ ભિંગે પેસેરાની ભૂશિર પાસે સ્પેનના કાફલાને પરાભવ કર્યાં. સ્પેને કાબાઈટ બળવા જગાડવાનો પ્રયત્ન કર્યાં, પણુ તેમાં તે ફાવ્યું નહિ. એક સ્પેનિશ કાઢ્યા ઈંગ્લેન્ડ પર ચડાઈ કરવા આવ્યા, તેને બિર્સ્કના અખાતમાં નાશ થયા. ફિલિપ હતાશ થઈ યુરાપમાં એકલા પડી ગયા. છેવટે તેણે