________________
કાયદાને હેતુ હતો; પણ એ કાયદો પસાર થયો હોત તો રાજસત્તા નહિ જેવી થઈ જાત. વૈોલે તેને સખત વિરોધ કર્યો હતો. - (દક્ષિણ મહાસાગરને પરપેટે અંગ્રેજોનું વેપાર પ્રત્યે આકર્ષણ વધતાં અનેક મંડળીઓ સ્થપાવા લાગી. ઈ. સ. ૧૭૧૧માં દક્ષિણ મહાસાગર અને સ્પેનિશ અમેરિકામાં વેપાર કરવાને નિમિત્તે એક મંડળી સ્થપાઈ. આરંભમાં આ મંડળીનું કાર્ય સારૂં ચાલવા લાગ્યું, પણ સ્પેનિઆડૅનાં વિનેથી સ્પેનિશ અમેરિકામાં જોઈએ તેટલે લાભ મળે નહિ. આથી વેપારની અન્ય દિશા શોધતા સાહસિક વ્યવસ્થાપકોએ દક્ષિણ મહાસાગરના ટાપુઓમાં એકહથ્થુ વેપાર કરવાની રજા મળે, તે રાજ્યને ૭૫,૦૦,૦૦૦ પૌન્ડ આપી પ્રજા–ઋણ ફેડી આપવાની માગણી કરી. મંડળી પાસે નાણાં ન હતાં, પણ ભવિષ્યની આશા હતી. આનહોપે આ માગણી સ્વીકારી પાર્લામેન્ટમાં ખરડો આણ્ય, અને જે કે દીર્ધદષ્ટિવાળો વૅલ્પલ સામે પડયે, છતાં ખરડે મંજુર થશે. સરકારી સહાયની વાત જાણતાં લેકએ તે મંડળીના શેર (Share) ખરીદવા દેડધામ કરી મૂકી. શેરના ભાવ દસગણું ચડયા, તે પણ અમીર કે ફકીર, સ્ત્રી કે બાળક, ટપાલી કે હમાલ, સૌએ ધનવાન થઈ જવાની આશામાં શેર ખરીદવા માંડયા. આ જોઈને તરેહવાર નામ અને કામ કરવાના ઉદ્દેશવાળી બીજી મંડળીઓ ઉભી થવા લાગી. કેઈને ખારા પાણીને મીઠું કરવું હતું, કેઈ ને રેતીમાંથી તેલ કાઢવું હતું, કેઈને સદાગતિ ચક્રની શધ કરી યંત્રો ચલાવવાં હતાં, કેઈને સ્પેનિશ ગધેડા ઉછેરવા હતા, અને એકને “ઘણી લાભદાયક—શી તે કઈ જાણવા પામ્યું નથી” યોજના ચલાવવી હતી. દેશભરમાં શેર ખરીદવાને પવન ચાલ્યો, અને જ્યાં જાઓ ત્યાં એની એ વાત. સરકારને લાગ્યું કે દેશની આર્થિક અવદશા થવાને વારે આવ્યું, એટલે તેણે કેટલીક નાની પૂર્તિ મંડળીનાં ભોપાળાં બહાર પાડયાં. હવે લેકવૃત્તિનું પૂર બીજી દિશાએ વળ્યું. બીજી મંડળીઓ આવાં ધતીંગ ચલાવે છે, ત્યારે દક્ષિણ મહાસાગરની મંડળીમાં શું ચાલતું હશે ? સર્વ પિતાના શેર વેચવા મંડી ગયા, અને શેરના ભાવ ગગયા. આમ ઢેલની પિોલ ખૂલી. એથી અનેક લોકોનાં નાણું ગયાં, અને પાયમાલીને પાર ન રહ્યો. દેવાળીઆઓથી કેદખાનાં ભરચક થઈ ગયાં. તેમાં એવી વાત ચાલી કે