________________
પ્રશ્નો નિર્ણય હથિયારની સહાયથીથ. પ્રજાએ રાજપદ અને અમીરની સભા ઉડાવી દઈને અપૂર્વ પ્રયાણ કરવા માંડ્યા. બને તેટધી ધર્મછૂટ દાખલ કરવામાં આવી, પાર્લમેન્ટમાં પ્રતિનિધિત્વ વધારવાની યોજના કરવામાં આવી, અને લિખિત રાજ્યબંધારણ તૈયાર કરી પ્રજા ઉપર કાયદા પાળવાની જોખમદારી નાખવામાં આવી. પરંતુ એ સર્વ અકાળે હતું; પ્રજામાં આ ફેરફાર માટે તૈયારી ન હતી, અને કેવેલની ભક્તસેનાને ઉપરીપદે રહેવું હતું. યુરિટન નેતાઓના આદર્શો જમાના કરતાં ઉંચા હતા, અને તેમની નીતિ ઉગ્ર વૈરાગ્યવાળી હતી, એટલે તેઓ પ્રજામાં ચાર્લ્સ કરતાં વધારે અપ્રિય થઈ પડયા. પરિણામે એ ૧૧ વર્ષમાં આપખુદી અને બીનજવાબદારીનાં અનેક કાર્યો થયાં, અને રાજ્યબંધારણની વિરુદ્ધ આચરણ થયાં. ચાન્સના આપખુદ અમલ કરતાં વધારે આપખુદ રાજ્યથી કંટાળી પ્રજાએ રાજાને પાછો લાવ્યો, લાંબી પાર્લમેન્ટના સુધારા કાયમ રહ્યા, અને નવા રાજાએ વિસ વર્ષ સુધી પાર્લમેન્ટ જોડે સંબંધ બગાડ્યું નહિ. પરંતુ પાછો ઈશ્વરી હકને નશે રાજાને ચડશે, અને તે દેશના કાયદાને અમલ બંધ કરવાનો કે કફ રાખવાનો પોતાને હક માનવા લાગે. રેમન કેથલિકાથી લેકે ત્રાસતા હતા, તેમાં આંતર વિગ્રહથી, યૂરિટનથી, કે બહાલી લશ્કરના નામથી લોકો ભડકવા લાગ્યા, અને અનેક જુલમે મુગે એ સહેવા લાગ્યા. આટલા ત્રાસદાયક હેતુઓમાંથી જે કાળે જે અચ્ચપદે હોય, તે ઉપર દેશની રાજકીય સ્થિતિને આધાર રહે, પણ આખરે કેથલિકને ભય વધી પડતાં જેમ્સને ગાદી છેડવાને સમય આવ્યે.
- રાજ્યક્રાન્તિ એટલે લેપક્ષને જય અને રાજસત્તાને ક્ષય. હવે પાર્લમેને પિતાને પક્ષ સબળ કરવા ઈશ્વરી હકના અવશેષને લેપ કરી નવા રાજા જોડે લિખિત કરાર કર્યો, મંત્રીઓ પાર્લમેન્ટને આધીન રહે એવી યોજના કરી, અને સૈન્યને પોતાની સત્તા નીચે મૂક્યું. ઉપરાંત રાજાને આપેલાં નાણાંના વહીવટ ઉપર દેખરેખ રાખવાનું શરૂ કરી તેના ઉપર એક પ્રકારને દાબ બેસાડો. યુરિટનેએ રાજાની આવક પર કાબુ લીધો, જ્યારે પ્રોટેસ્ટન્ટેએ રાજાના ખર્ચ ઉપર સત્તા બેસાડી. ધીમે ધીમે રાજાને પાર્લમેન્ટ વારંવાર બોલાવવી પડે, અને પાર્લમેન્ટને વિશ્વાસ ધરાવનાર માણસો પ્રધાને હોય એવી નીતિ પાર્લમેન્ટે ધારણ કરી. આમ રેમન કેથેલિક ધર્મના સ્તંભ