________________
૨૦૨
નિશ્ચય કરીને બેઠા. જેમ્સ બહારથી આવતી મદદ અટકાવી, એટલે વિલિયમે મેકલેલાં વહાણો પણ નકામાં થઈ પડયાં. આ ઘેરે ૧૦૫ દિવસ ચાલ્યો. ખાવાનું ખૂટી જવાથી ઘડાનું માંસ, મરેલા ઉદર, અને ચામડાં કરડવાનો અવસર આવી પહોંચ્યો, અને શહેરમાં રેગ ફાટી નીકળે, એટલે મરનારના અંત્ય સંસ્કાર કરવાનું અશક્ય થઈ પડયું. છતાં વજહદયના બહાદુરની ધીરજ અને હિમત ખૂટયાં નહિ. દરમિઆન નદીનો બંધ તોડી વિલિયમનાં વહાણો આવી પહોંચતાં લોકોને અનાજ મળ્યું. હવે જેમ્સનું લશ્કર ઘેરે ઉઠાવી ચાલતું થયું. ત્રીજે દિવસે એનિસકિલેનમાં ભરાઈ બેઠેલા લોકોએ મજબુત ધસારો કરી ન્યૂટન બટલરના યુદ્ધમાં જેમ્સની સેનાને હરાવી નસાડી મૂકી.
જેમ્સ હાર્યો છતાં આયલેન્ડમાં તેનું પ્રાબલ્ય ટકી રહ્યું. બીજે વર્ષ વિલિયમે આયર્લેન્ડ પર ચડાઈ કરી. બેઈન નદીના કિનારા ઉપર જેમ્સની સેનાએ વિલિયમને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ ભયંકર યુદ્ધમાં જેમ્સનું સૈન્ય જીવ લઈને નાતું. હવે જેમ્સના મનોરથ ભાગી પડયા, અને તે ફ્રાન્સ જતો રહ્યો; પણ આયરિશ લોકો વિલિયમને શરણે થયા નહિ. લિરિકના ગઢમાં ભરાઈને તેમણે ટક્કર ઝીલી. એથી ડચ સેનાપતિ ઝિન્કલને આયલેન્ડ જીતવાનું ઑપી વિલિયમ ઈલેન્ડ ગયો. ઇ. સ. ૧૬૯૧માં લિમરિક પડયું એટલે સંધિ થઈ. તેમાં એવી સરત કરવામાં આવી, કે આયરિશ સૈનિક વીખરાઈ જાય, અથવા ફ્રાન્સમાં કે વિલિયમના લશ્કરમાં નોકરી લે, અને આયર્લેન્ડમાં કેથલિકોને ધાર્મિક સ્વતંત્રતા આપવી. પરંતુ પ્રોટેસ્ટન્ટ લેકોને ધર્મષ ઓછો ન હતો. ઈ. સ. ૧૬૯૭માં ડબ્લિનમાં મળેલી પાર્લમેન્ટમાં પ્રોટેસ્ટન્ટો અધિક સંખ્યામાં હતા. તેમણે લિરિકની સંધિનો ભંગ કર્યો. હવે કેથલિકાને માટે સખત કાયદા ઘડવામાં આવ્યા, કેથલિક પુરોહિતને દેશનિકાલ કરવામાં આવ્યા, કેથલિક અધ્યાપકોને શિક્ષણ આપતા બંધ કરવામાં આવ્યા, કેથલિકનાં હથિયાર લઈ લેવામાં આવ્યાં, પ્રોટેસ્ટન્ટ જોડે કેથેલિકને લગ્નસંબંધ બંધ કરવામાં આવ્યું, અને આયરિશ વ્યાપારને સખત ધોકો પહોંચાડવામાં આવ્યો.